રાજકોટ શહેરના "ધરોહર લોકમેળા" નો પ્રારંભ. - At This Time

રાજકોટ શહેરના “ધરોહર લોકમેળા” નો પ્રારંભ.


રાજકોટ શહેર તા.૨૫/૮/૨૦૨૪ ના રોજ રાજ્યના કૃષિમંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરીયાની ઉપસ્થિતિમાં, રાજકોટમાં પરંપરાગત "ધરોહર લોકમેળા" નું ઉદઘાટન કર્યું હતું. આ સાથે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં પાંચ દિવસના લોકમેળાની રંગત શરૂ થઈ ગઈ છે. રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પધાર્યા બાદ મંત્રીએ સૌપ્રથમ રીબીન કાપીને મેળાને નાગરિકો માટે ખુલ્લો મુક્યો હતો. આ તકે વિવિધ કલાકારોએ રાસ રજુ કરીને સૌ મહાનુભાવોને આવકાર્યા હતા. ત્યારબાદ સૌ મહાનુભાવે ચાલીને લોકમેળાનું નિરીક્ષણ કર્યું હતું. આ તકે મંત્રીએ મહિલા આર્ટ અને ક્રાફ્ટના સ્ટોલ અને ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની દ્વારા નારી શક્તિ મહોત્સવ અંતર્ગત આયોજિત સરસ મેળો પણ ખુલ્લો મુક્યો હતો. મંત્રીએ લોકમેળા ગ્રાઉન્ડમાં રાજકોટ પોલીસ દ્વારા આયોજિત પ્રદર્શન કેન્દ્રનું પણ ઉદઘાટન કર્યું હતું. ઉપરાંત ગ્રાહક સુરક્ષા કેન્દ્રના સ્ટોલ તેમજ આત્મા પ્રાકૃતિક કૃષિના સ્ટોલનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. આ તકે રાજકોટના સાંસદ રામભાઈ મોકરીયા, મેયર નયનાબહેન પેઢડીયા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલિયા, રાજકોટના મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, DIG જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેકટર ચેતન ગાંધી, લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ તથા પ્રાંત-૧ અધિકારી ચાંદની પરમાર તેમજ અન્ય પ્રાંત અધિકારીઓ, પોલીસ અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. લોકમેળામાં બનાવાયેલા ડોમમાં વિવિધ કલાકારોએ સાંસ્કૃતિક લોકનૃત્યો રજૂ કરીને લોકોનું મનોરંજન કર્યું હતું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.