રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીની રેલી, કલેક્ટર કચેરીએ દેખાવો: આવેદન અપાયું - At This Time

રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીની રેલી, કલેક્ટર કચેરીએ દેખાવો: આવેદન અપાયું


સુપ્રીમ કોર્ટે એસસી અને એસટી કેટેગરીના અનામતમાં ક્રીમીલેયરની જોગવાઇ કરવાનો ચુકાદો આપ્યા બાદ દેશભરમાં દલિત અને આદિવાસી સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે અને આ સંગઠનોએ 21મીએ બંધનું એલાન આપ્યું હતું. જ્યારે રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીએ સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા બાદ વિશાળ રેલી કાઢી હતી અને કલેક્ટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદન પાઠવી એસસી-એસટી કેટેગરીમાં વર્ગીકરણ બાબતે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો નિરસ્ત કરી એસસી-એસટીની અનામત વ્યવસ્થા પૂર્વવત ચાલુ રાખવા માગણી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.