રામનાથપરામાં વીજ મીટર બ્લાસ્ટ સાથે સળગી ગયા, ફાયર બ્રિગેડે 14 લોકોને બચાવ્યા; કોઈ જાનહાનિ નહીં - At This Time

રામનાથપરામાં વીજ મીટર બ્લાસ્ટ સાથે સળગી ગયા, ફાયર બ્રિગેડે 14 લોકોને બચાવ્યા; કોઈ જાનહાનિ નહીં


રાજકોટમાં આગની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં શહેરના રામનાથપરામાં આવેલા એક એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર રાખેલા PGVCLના વીજ મીટરમાં આજે સાંજે અચાનક બ્લાસ્ટ થયો હતો અને આ સાથે જ તમામ મીટર સળગવા લાગ્યા હતા. જેથી તેની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ત્રણ ફાયર ફાઈટર સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અડધો કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો અને બિલ્ડીંગની અગાસી પર રહેલા 14 લોકોને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.