રાજકોટ શહેર મિલકત પચાવી પાડવા રજૂ થયેલ વ્યક્તિઓ અંગે માહિતી આપવા અનુરોધ. - At This Time

રાજકોટ શહેર મિલકત પચાવી પાડવા રજૂ થયેલ વ્યક્તિઓ અંગે માહિતી આપવા અનુરોધ.


રાજકોટ શહેર તા.૧૨/૮/૨૦૨૪ ના રોજ રાજકોટ શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ ફરિયાદ અનુસાર હાલ અમદાવાદ રહેતા મનસુખલાલ બળવંતરાય મેરના રાજકોટના ખત્રીવાડમા કરસનદાસ માંડવીયાની શેરી, બાવાજીરાજ રોડ ખાતે આવેલ મકાનના અજાણ્યા શખ્સોએ બોગસ દસ્તાવેજ બનાવ્યા છે. દસ્તાવેજમાં મિલકત વેચનાર તરીકે ફરિયાદી મનસુખભાઈના પિતા બળવંતરાય ખેતશીભાઈ મેર તેમજ તેના ફૈબા સરસ્વતીબેન ખેતશીભાઈ મેરને દર્શાવવામાં આવેલા છે જે બંને મૃત્યુ પામેલ છે. દસ્તાવેજમાં તેની જગ્યાએ તેમના નામની સામે કોઈ અજાણ્યા પુરુષ તેમજ અજાણી સ્ત્રીને સબ રજિસ્ટ્રારની કચેરી સમક્ષ હાજર રખાવી આ બોગસ દસ્તાવેજ તૈયાર કરવામાં આવેલ છે. આ અજાણ્યા સ્ત્રી-પુરુષએ મનસુખભાઈના પિતા તેમજ ફઈની સહી કરેલ હોય આ બંને અજાણી વ્યક્તિઓ બાબતે કોઈપણને હકીકત જાણવા મળે તો એ.ડિવિઝન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.