ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ. *મીડિયાકર્મીઓની જાણ વીણા યોજાઈ તિરંગા યાત્રા* - At This Time

ચોટીલા સહિત ગ્રામ્યવિસ્તારોમાં તિરંગા યાત્રા યોજાઈ. *મીડિયાકર્મીઓની જાણ વીણા યોજાઈ તિરંગા યાત્રા*


*વિક્રમસિંહજાડેજા!ચોટીલા*

ચોટીલા શહેર સહિત ગ્રામ્યવિસ્તારોમા તિરંગા યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તિરંગા સાથે વિવિધ સ્કૂલોના બાળકો,રાજકીય આગેવાનો સરકારી અધિકારીઓ,સ્કૂલોના શિક્ષકો સહિતના આ તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો..
ચોટીલા ડેપ્યુટી કલેકટર કલ્પેશ શર્મા,મામલતદાર વી.એમ.પટેલ,નગરપાલિકા સદસ્યો,ગ્રામ્યવિસ્તારોના સરપંચો,વિવધ સ્કૂલોના શિક્ષકો સહિત સ્કૂલોમાં અભ્યાસ કરતા બાળકો દ્વારા વિવિધ વિસ્તારોમાં અને ચાણપા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં તિરંગા સાથે રેલીઓ યોજીને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.આ તિરંગા યાત્રાની રેલીઓમાં નાગરિકોની સંખ્યા ઓછી જોવા મળતા આ યાત્રા રાજકીય યાત્રા બનવવામાં આવી હોય તેવી લોકચર્ચા ઉઠવા પામી હતી.અને આ તિરંગા યાત્રામા પણ મીડિયા કર્મીઓને દૂર રાખવામાં આવતા મીડિયા કર્મીઓ રોષે ભરાયા હતા..


9898650050
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.