કંથારપુરા ગામના તલાટી ક્રમ મંત્રીને ન્યાય મળે તે મામલે દહેગામ તલાટી ક્રમ મંત્રીઓનું મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું - At This Time

કંથારપુરા ગામના તલાટી ક્રમ મંત્રીને ન્યાય મળે તે મામલે દહેગામ તલાટી ક્રમ મંત્રીઓનું મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું


દહેગામ તાલુકાના કંથારપુરા ગામના તલાટી ક્રમ મંત્રીને બદલી કરવાના હેતુથી ચાર દિવસ પહેલા જ કંથારપુરા ગ્રામજનો દ્વારા દહેગામ મામલતદાર અને કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જેમાં કેટલાક સમાચાર પત્રોમાં કંથારપુરા ગામના તલાટી માતાજી ધુણતા હોવાનો અહેવાલ સામે આવ્યો હતો જેમાં કેટલાક ગ્રામજનો દ્વારા તલાટી કામકાજમાં ધક્કા ખવડાવે છે અને તલાટી સાહેબને માતાજી આવે છે તેવા ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા જેથી તલાટી ક્રમ મંત્રી વિનાદભાઈ ચૌધરીની લાગણી દુભાઈ હોવાની વાત સાથે આજ રોજ દહેગામ તાલુકા સમસ્ત તલાટી ક્રમ મંત્રીમંડળ દ્વારા કંથારપુરા ગામના તલાટીક્રમ મંત્રી વિનોદભાઈ ચૌધરી સામે પાયાવિહોણા આક્ષેપો તેમજ મીડિયામાં છપાયેલા સમાચાર ખોટા હોવાથી સત્ય બહાર લાવવામાં આવે તેવી માંગ સાથે સમસ્ત દહેગામ તલાટી યુનિયન દ્વારા દહેગામ મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.