મૂવી રિવ્યૂ- ઉલજ:જટિલ વાર્તા, નબળી પટકથા, જાહન્વી કપૂરની શાનદાર એક્ટિંગ પણ ફિલ્મને બચાવી નહીં શકે - At This Time

મૂવી રિવ્યૂ- ઉલજ:જટિલ વાર્તા, નબળી પટકથા, જાહન્વી કપૂરની શાનદાર એક્ટિંગ પણ ફિલ્મને બચાવી નહીં શકે


જાહન્વી કપૂરની સસ્પેન્સ થ્રિલર ફિલ્મ ‘ઉલજ’ આજે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મની લેન્થ 2 કલાક 30 મિનિટ છે. દિવ્ય ભાસ્કરે આ ફિલ્મને 5માંથી 2 સ્ટાર રેટિંગ આપ્યું છે. શું છે ફિલ્મની વાર્તા? આ ફિલ્મની વાર્તા સુહાના ભાટિયા (જાહન્વી કપૂર)ની આસપાસ ફરે છે. સુહાનાને દેશની સૌથી યુવા ડેપ્યુટી હાઈ કમિશનરનું પદ મળ્યું છે. નાની ઉંમરમાં આટલું મોટું પદ મળવાને કારણે સુહાના પર નેપોટિઝ્મનો આરોપ મુકાય છે. સુહાના લંડનમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરી રહી છે. તેમને તેમની યોગ્યતા સાબિત કરવા માટે જોખમી કામ કરે છે, પરંતુ તે જૂઠ, છેતરપિંડી અને વિશ્વાસઘાતમાં એટલી ફસાઈ જાય છે કે લોકો તેને દેશદ્રોહી કહેવા લાગે છે. સુહાના કેવી રીતે તેના દુશ્મનો સામે લડે છે અને તેની નિર્દોષતા સાબિત કરે છે. આ જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે. સ્ટાર કાસ્ટની એક્ટિંગ કેવી છે?
આખી ફિલ્મની વાર્તા જાહન્વી કપૂરના પાત્રની આસપાસ વણાયેલી છે. જાહન્વીની ખાસિયત એ છે કે તેમને જે પણ પાત્ર મળે છે તે તેને સરળતાથી અપનાવી લે છે. જો જોવામાં આવે તો તે આ ફિલ્મની હીરો છે. ડેપ્યુટી હાઈ કમિશનરનું પાત્ર ખૂબ જ ગંભીરતાથી ભજવવામાં આવ્યું છે. ખાસ કરીને ક્લાઈમેક્સમાં તેમનો અભિનય અદભુત છે. ફિલ્મમાં જાહન્વી ઉપરાંત નકુલ ભાટિયા તરીકે ગુલશન દેવૈયા, સબીન જોસેફ કુટ્ટી તરીકે રોશન મેથ્યુ, વનરાજ ભાટિયાના પાત્રમાં આદિલ હુસૈન, સલીમ તરીકે રાજેશ તૈલંગ અને જેકબ તરીકે મેયાંગ ચાંગ જોવા મળશે. જે પણ કામ તેના હાથમાં આવ્યું, તેણે તેમાં વધુ સારું કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ અહીં તેની પાસેથી કેટલું સારું કામ કરાવી શકાય તે શોધવાની જવાબદારી ડિરેક્ટરની છે. ફિલ્મનું ડિરેક્શન કેવું છે?
ફિલ્મમાં જાહન્વી કપૂરના પાત્ર સિવાય સુધાંશુ સરિયાનું ડિરેક્શન ખૂબ જ નબળું છે. તેણે પરવીઝ શેખ સાથે મળીને ફિલ્મની વાર્તા પણ લખી છે. શરૂઆતથી અડધા કલાક સુધી દર્શકો સમજી શકતા નથી કે વાર્તા શું છે? ફિલ્મની વાર્તા કાઠમંડુ એમ્બેસીથી ઈસ્લામાબાદ, દિલ્હી થઈને લંડનમાં ભારતીય હાઈ કમિશન સુધી પહોંચે છે. અહીંથી ખરી રમત શરૂ થાય છે. 22 વર્ષની ઉંમરે ડેપ્યુટી હાઈ કમિશનર બન્યા બાદ જાહન્વી કપૂર લંડનમાં ઈન્ડિયન હાઈ કમિશનમાં કેવી રીતે પહોંચે છે તે સમજની બહાર લાગે છે. આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું છે કે ભારતમાં ઉચ્ચ અધિકારીઓ, RAWના ચીફ પણ દેશદ્રોહી છે. ISIના કહેવા પર, અમારા RAW અધિકારીઓ પાકિસ્તાનથી ભારતમાં શાંતિ અને પ્રેમનો સંદેશ લાવનારા PMની હત્યાનું કાવતરું ઘડે છે. ફિલ્મની સ્ક્રિપ્ટ સાવ વેરવિખેર છે. ડાયલોગ્સ આર્ટિફિશિયલ લાગે છે. ઘણા સીન બીજે ક્યાંકથી ઉપાડીને આ ફિલ્મમાં ચોંટાડવામાં આવ્યા હોય તેવું લાગે છે. આ ફિલ્મ જોયા પછી લાગે છે કે દિગ્દર્શક-રાઇટરે રિસર્ચ કરવામાં પણ વેઠ ઉતારી છે. ફિલ્મનું સંગીત કેવું છે?
ફિલ્મમાં એક પણ ગીત એટલું પ્રભાવશાળી નથી કે જેની ચર્ચા થાય. ફિલ્મ જોયા પછી તેનું સંગીત યાદ નથી આવતું. બેકગ્રાઉન્ડ સ્કોરના નામે માત્ર ઘોંઘાટ છે જે માત્ર એક્શન સીન્સમાં જ સંભળાય છે. ફાઈનલી, જોવી કે નહીં?
ફિલ્મની વાર્તા એટલી ગૂંચવણભરી છે કે આ ફિલ્મ શા માટે બનાવવામાં આવી છે તે સમજાતું નથી. આ ફિલ્મ ન તો મનોરંજન આપે છે અને ન તો કોઈ ખાસ મેસેજ આપે છે. તેમ છતાં, જો તમારે આમાં સામેલ થવું હોય તો તે તમારી પસંદગી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.