વેલનાથપરામાં યુવક ખુરશી પરથી ઢળી પડ્યો, હાર્ટએટેકથી મોત - At This Time

વેલનાથપરામાં યુવક ખુરશી પરથી ઢળી પડ્યો, હાર્ટએટેકથી મોત


શહેરમાં વધુ એક વ્યક્તિનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. મોરબી રોડ પરના વેલનાથપરામાં રહેતો નરેન્દ્ર અમુભાઇ બાબરિયા (ઉ.વ.35) વેલનાથ સોસાયટીના પુલ નજીક દુકાન પાસે ખુરશીમાં બેઠો હતો ત્યારે અચાનક જ તે ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો. નરેન્દ્રને તાકીદે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું. ઘટનાને પગલે બી.ડિવિઝન પોલીસ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા નંબરનો હતો અને કુંવારો હતો, તે છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો, હાર્ટએટેકથી તેનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. બનાવથી બાબરિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.