ચુડા ના ચોકડી ગામે પૂજ્ય ખીમદાસબાપુ ની જગ્યામાં ધર્મ સ્તંભ ઉભો કરવામાં આવ્યો. - At This Time

ચુડા ના ચોકડી ગામે પૂજ્ય ખીમદાસબાપુ ની જગ્યામાં ધર્મ સ્તંભ ઉભો કરવામાં આવ્યો.


ચુડા તાલુકાના ચોકડી ગામમાં પૂજ્ય ખીમદાસબાપુ નું સમાધી સ્થાન આવેલ છે. લોકવાયકા પ્રમાણે પૂજ્ય ખીમદાસબાપુ એ અનેક પરચા પૂર્યા છે. ચોકડી ગામ માં પ્રખ્યાત ચરમાળીયા દાદા નું મંદિર છે. જે ખીમદાસબાપુનું સ્વરૂપ માનવામાં આવે છે. આ ખીમદાસબાપુ ચોકડી ગામના તમામ જ્ઞાતિના લોકોનું આસ્થા કેન્દ્ર છે. જયા દર અષાઢી બીજ ના દિવસે ચોકડી ગામના લોકો જ્યાં પણ રહેતા હોય છે ત્યાંથી આ એક દિવસ પૂજ્ય ખીમદાસબાપુ ના દર્શન કરવા જરૂર આવે છે.

દર અષાઢી બીજ તો ઉજવાય છે પરંતુ આ વર્ષે ગામના લોકો દ્વારા ખીમદાસબાપુ ની જગ્યામાં જે ધર્મસ્તંભ હતો તે જર્જરિત થતા ગામ લોકોના સહયોગથી નવનિર્મિત ધર્મ સ્તંભ ઉભો કરવામાં આવ્યો. ધર્મ સ્તંભ ૫૧ ફૂટ ઉંચો અને પંચધાતુ માંથી બનાવવામાં આવ્યો હતો. ધર્મ સ્તંભ સાયલા ની પ્રખ્યાત લાલજી મહારાજ ની જગ્યાના મહંત પૂજ્ય દુર્ગાદાસબાપુ ના હસ્તે વિધિવત રીતે ઉભો કરવામાં આવ્યો હતો. દુર્ગાદાસબાપુ દ્વારા પ્રસંગોપાત પ્રવચન તથા ઉપદેશ આપ્યો હતો. હજારોની સંખ્યામાં માનવ મહેરમણ દર્શન કરવા આવ્યું હતું.ચોકડી ગામલોકો માં ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.