સાબરકાંઠા.... ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી હિંમતનગર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ - At This Time

સાબરકાંઠા…. ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી હિંમતનગર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ


*ડો. શ્યામા પ્રસાદ મુખરજીની જન્મ જયંતી હિંમતનગર નગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ કરી ઉજવણી કરાઈ*

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નગરપાલિકા દ્વારા શ્યામા પ્રસાદ મુખરજી ની જન્મ જયંતીને વિશે વૃક્ષારોપણ કરીને ઉજવણી કરવામાં આવી. શ્રીમતી શોભનાબેન બારૈયાએ વિશેષ ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન કરતા સાંસદ શ્રી એ જણાવ્યું હતું કે, ડો. શ્યામા પ્રસાદ મુખરજીએ વિવિધ વિપક્ષોને એક કરીને જવાહરલાલ નહેરુની સરકાર વખતે વિપક્ષમાં બેઠા હતા. સમગ્ર દેશમાં એક જ કાયદા કાનૂન હોય તેવું સ્વપ્ન જોનાર મહાન નેતા શ્યામા પ્રસાદ મુખરજીના સ્વપ્નને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કશ્મીરમાં 370 ની કલમ હટાવી સાકાર કર્યું છે.
આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ શ્રી વિમલ ઉપાધ્યાય, પૂર્વ પ્રમુખ શ્રીમતી યતિનાબેન મોદી, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, કૌશલ્યા કુંવરબા, મહેન્દ્રસિંહ બારૈયા,નગરપાલિકા સદસ્યો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યું હતું.

રિપોર્ટર. અલ્પેશ પટેલ. વડાલી


9409160651
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.