ધાનપુર હાટ બજારમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંતર્ગત પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો. - At This Time

ધાનપુર હાટ બજારમાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન અંતર્ગત પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યો.


ધાનપુર તાલુકાના ધાનપુર હાટ બજાર માં રક્તપિત્ત જન જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર, કરવામાં આવ્યું.જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન ના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલુ "લેપ્રસી કેસ ડિટેકશન કેમ્પેન "પ્રોગ્રામ અંતર્ગત ધાનપુર ખાતે હાટ બજાર પ્રચાર -પ્રસાર કરવામાં આવ્યું.તેમા પ્રા.આ.કે.રાછવા ના મેડિકલ ઓફિસર ડૉ.અરુણકુમાર તેમજ પ્રા.આ.કે રાછવા સુપરવાઈઝર રાજેશભાઈ ની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો માં જન જાગૃતિ ફેલાય તે માટે તારીખ -૧૦-જુન થી ૦૨ જુલાઈ સુધી લેપ્રસી વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય માટે જુદી જુદી જગ્યાએ જેમ કે હાટ બજાર, સ્કૂલો, કોલેજ માં પ્રચાર -પ્રસાર માટે વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું હતુ માં જેમાં રાછવા પ્રા.આ.કે નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહયા હતા.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.