રાજુલા માં થયેલી મારા મારી નું ગુન્હો હત્યા માં પલટાયો - At This Time

રાજુલા માં થયેલી મારા મારી નું ગુન્હો હત્યા માં પલટાયો


રાજુલા માં થયેલી મારા મારી નું ગુન્હો હત્યા માં પલટાયો

રાજુલા શહેરમાં 2 દિવસ પહેલા 1 યુવક ઉપર 5 જેટલા ઈસમો દ્વારા હુમલો કર્યો હતો ત્યારે આ હુમલા માં આ યુવાન ગંભીર રીતે ઇજા ગ્રસ્ત થયેલ જેને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ પરંતુ આ યુવાન ને વધુ ઇજા થતાં તેને રાજુલા થી અમરેલી સારવાર અર્થે ખસેડવા માં આવેલ પરંતુ મળતી સૂત્રો ની માહિતી મુજબ તેને વધી સારવાર અર્થે રાજકોટ લઈ જવામાં આવેલ જ્યાં રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન ઇજા ગ્રસ્ત હરસુર ઉર્ફે લાલો ધાખડા નું મોત થતા મામલો હત્યામાં પલટાયો ત્યારે આ ઘટનામાં ના 5 જેટલા ઈસમો વિરુદ્ધ ગઈ કાલે ગુન્હો નોંધાયો હતો તેમાં આજે વધુ એક હત્યાનો ગુન્હો નોંધાશે તેવું જાણવા મળેલ છે મૃતક હરસુર ઉર્ફે લાલો ધાખડા હાલ 3 જિલ્લામાં તડીપાર હતો અને તેની પર કુલ 22 જેટલા ગુન્હાઓ નોંધાયેલા હોવાનું જાણવા મળેલ છે આ આરોપી પોલીસ ચોપડે હિસ્ટ્રીશીટર પણ હતો રાજુલા પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિત ટીમો આરોપીને પકડવા કવાયત હાથ ધરી છે....


9327252552
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.