હિંમતનગર ની રોટરી સરસ્વતી વિધા મંદિરમાં રમતગમત કિટનું વિતરણ કરવામા આવ્યુ. - At This Time

હિંમતનગર ની રોટરી સરસ્વતી વિધા મંદિરમાં રમતગમત કિટનું વિતરણ કરવામા આવ્યુ.


હિંમતનગરમાં આવેલી ગુજરાત પ્રદેશ સંલગ્ન મહર્ષિ અરવિંદ શિક્ષણ અને સેવા ટ્રસ્ટ સંચાલિત રોટરી સરસ્વતી વિદ્યા મંદિરમાં જનજાગૃત્તિ વિચારમંચ દ્વારા તાજેતરમાં સંસ્થામાં ભણતા બાળકો માટે રમતગમત કીટનું ભૂતપૂર્વ સાંસદ ડો.મહેન્દ્રસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિતરણ કરાયું હતુ. તેજ પ્રમાણે સ્વ. સાયરકુવર નારાયણસિંહ રાઠોડ, ચેરીટેબલ ટ્રસ્ટ વતી એન.જી.પ્રોજેકટના ડાયરેકટર ગોપાલસિંહ રાઠોડના હસ્તે વિદ્યાર્થીઓને નોટોનું વિતરણ કરાયું હતુ. આ પ્રસંગે જે.ડી.પટેલ, ધર્મેશભાઈ પંડ્યા, શ્યામસુંદર સલુજા, અનિરુદ્ધભાઈ સોરઠિયા, જયેશભાઈ શાહ તથા વ્યવસ્થાપક મંડળના સભ્યો અને પ્રધાનાચાર્ય પ્રજ્ઞાબેન જોશી અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.