પોરબંદરમાં ફૂલઝાડના રોપાનું થશે નિઃશુલ્ક વિતરણ 3 ત્રણ સંસ્થાઓના ઉપક્રમે શારદા હોલમાં આયોજનઃ ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે પર્યાવરણપ્રેમીઓને તેનો લાભ લેવા થઈ અપીલ - At This Time

પોરબંદરમાં ફૂલઝાડના રોપાનું થશે નિઃશુલ્ક વિતરણ 3 ત્રણ સંસ્થાઓના ઉપક્રમે શારદા હોલમાં આયોજનઃ ચોમાસાની શરૂઆત થઈ રહી છે ત્યારે પર્યાવરણપ્રેમીઓને તેનો લાભ લેવા થઈ અપીલ


ચોમાસાની શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે પોરબંદરમાં ત્રણ સંસ્થાઓના ઉપક્રમે આગામી શનિવારે ફૂલઝાડના રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.પોરબંદર હોર્ટીકલ્ચર સોસાયટી, લોહાણા મહિલા મંડળ અને વનવિભાગના સંયુક્ત ઉપક્રમે તા. ૨૯-૬-૨૪ શનિવારના રોજ સવારે ૧૦ થી ૧ વાગ્યા સુધી શ્રી સત્યનારાયણ મંદિર પાસેના ‘શારદા હોલ'માં ફૂલઝાડના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે તો બધાએ લાભ લેવાનું મંદિરના ટ્રસ્ટી ભરતભાઈ માખેચા તથા શીલાબેન માખેચા તેમજ હોર્ટીકલ્ચર સોસાયટીના પ્રમુખ ભરતભાઇ, લોહાણા મહિલા મંડળના પ્રમુખ રેખાબેન ચોટાઈ અને મંત્રી રશ્મીબેન રાડીયા તથા બાગાયત વનવિભાગ દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.