સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા લાલપુર નાયબ કલેકટર ને આવેદનપત્ર અપાયું, ધો. 6,7 અને 8 ના પુસ્તકોમાં દરેક ધર્મના મૂલ્યો-સિદ્ધાંતો શિખવાડો - At This Time

સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા લાલપુર નાયબ કલેકટર ને આવેદનપત્ર અપાયું, ધો. 6,7 અને 8 ના પુસ્તકોમાં દરેક ધર્મના મૂલ્યો-સિદ્ધાંતો શિખવાડો


સ્વયમ્ સૈનિક દળ(SSD) દ્વારા લાલપુર નાયબ કલેકટર ને આવેદનપત્ર અપાયું, ધો. 6,7 અને 8 ના પુસ્તકોમાં દરેક ધર્મના મૂલ્યો-સિદ્ધાંતો શિખવાડો

ધોરણ 6, 7 અને 8 ના પુસ્તકમાં ભગવદ ગીતાના પાઠનો સમાવેશ કરાયો છે. અને ધોરણ 12 નાં સમાજશાસ્ત્ર માં બોદ્ધ ધમ્મ વિશે ખોટી માહિતી આપવામાં આવી છે. આ સંદર્ભે સ્વયમ્ સૈનિક દળ દ્વારા નાયબ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ આ પુસ્તકો પરત ખેંચી લેવા માટે માગણી કરવામાં આવી હતી. અને રજૂઆત કરવામાં આવી હતી કે તમામ ધર્મોના સારા સિદ્ધાંતો અને મૂલ્યો ને સમાવી પુસ્તક બહાર પાડવું જોઈએ, સરકાર દ્વારા વિવિધ ધર્મો વચ્ચે સંઘર્ષ ઊભો કરવાના પ્રયાસ કરી રહી છે. જો તમામ ધર્મોના સિદ્ધાંતો અને મૂલ્યો ને સમાવતું પુસ્તક બહાર નહીં પાડવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ તેમણે આપી.

રિપોર્ટર : હસનશા દરવેશ લાલપુર મો. 9925793554


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.