કપૂર પરિવારમાં હવે કોના લગ્ન થશે?:અનિલ કપૂરે હિંટ આપતા કહ્યું, 'આશા છે કે અર્જુન હવે લગ્ન કરશે' - At This Time

કપૂર પરિવારમાં હવે કોના લગ્ન થશે?:અનિલ કપૂરે હિંટ આપતા કહ્યું, ‘આશા છે કે અર્જુન હવે લગ્ન કરશે’


'બિગ બોસ ઓટીટી સીઝન 3' 21 જૂનથી સ્ટ્રીમ કરવામાં આવી છે. આ સિઝનને અનિલ કપૂર હોસ્ટ કરી રહ્યો છે. શો શરૂ થતા પહેલા અનિલે ઘણી અંગત બાબતો વિશે વાત કરી હતી. વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે તે પોતે તેના પરિવારમાં સૌથી ફેશનેબલ સભ્ય છે. તેમના પરિવારની સૌથી ઓર્ગેનાઇઝડ મેમ્બર રિયા કપૂર છે. રિયા અનિલ કપૂર અને સુનીતા કપૂરની દીકરી છે. અનિલ કપૂરે કહ્યું કે બોની કપૂર સૌથી મોડા આવનાર મેમ્બર છે. આ વાતચીતમાં તેને પૂછવામાં આવ્યું કે કપૂર પરિવારમાં હવે કોના લગ્ન થશે? આના જવાબમાં તેણે કહ્યું 'હોપફુલી અર્જુન'. આ સાંભળ્યા પછી, લોકો માને છે કે ટૂંક સમયમાં અર્જુન કપૂરના લગ્નની શરણાઈ ગુંજી શકે છે અર્જુન અને મલાઈકાના બ્રેકઅપના સમાચાર હતા.
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે અર્જુન અને મલાઈકાનું બ્રેકઅપ થઈ ગયું છે. પરંતુ બાદમાં મલાઈકાના મેનેજરે આ સમાચારને નકારી કાઢ્યા અને તેને અફવા ગણાવી. આ સંબંધને 2019 માં ઓફિસિયલ જાહેર કર્યા હતા
અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ 2019માં પોતાના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક ઈમોશનલ પોસ્ટ શેર કરીને અર્જુનને તેના 34માં જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. બંને ઘણા વર્ષોથી ડેટ કરી રહ્યા છે અને જાહેરમાં પોતાનો પ્રેમ વ્યક્ત કરવામાં ક્યારેય શરમાતા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.