આજે રાવળદેવ જોગી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા જયદેવ મહારાજ કથાકાર દ્વારા સમસ્ત રાવળદેવ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીના વિરુદ્ધમાં સિહોર ડે.કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

આજે રાવળદેવ જોગી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા જયદેવ મહારાજ કથાકાર દ્વારા સમસ્ત રાવળદેવ સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીના વિરુદ્ધમાં સિહોર ડે.કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું


રાવળદેવ જોગી યોગી સમાજ ગુજરાત રાજ્ય દ્વારા
કથાકાર જયદેવ મહારાજ દ્વારા સમસ્ત રાવળદેવ સમાજ વિરુદ્ધ અભદ્ર
ટિપ્પણીના વિરુદ્ધમાં આજરોજ સિહોર ખાતે નીકળી હતી. ડે કલેકટરને
આવેદનપત્ર પાઠવી કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તાજેતરમાં
જયદેવ મહારાજ દ્વારા સમસ્ત રાવળદેવ સમાજ વિરુદ્ધ અભદ્ર ભાષાનો
ઉપયોગ કરવામાં આવ્યો હતો. અસંખ્ય જનમેદની વચ્ચે સમસ્ત રાવળદેવ
સમાજ વિશે ઢોંગ-ધતિંગ જેવા શબ્દોનો ઉપયોગ કરી અન્ય પ્રજાને
રાવળદેવ અને ભૂવાઓથી ધૃણા ઉપજે તે પ્રકારની અભદ્ર ટિપ્પણી કરી હતી
જેના પગલે રાવળદેવ સમાજના આગેવાનો મામલતદાર કચેરીમાં ઉમટ્યા
હતા. ડે કલેકટરને આવેદન આપી રજૂઆત કરી હતી. જયદેવ મહારાજ
વિરુદ્ધ ત્વરિત પગલાં લેવા માંગ કરી આવેદનપત્ર આપ્યું હતું. આ તકે
રાવળદેવ સમાજના આગવાનો ઉપસ્થિત રહ્યા હતા. થોડા દિવસ પહેલા
કથાકાર જયદેવ મહારાજ દ્વારા સમસ્ત રાવળદેવ સમાજ વિરુદ્ધ અસંખ્ય
જનમેદની વચ્ચે અમોના વંશપરંપરાગતથી શિવજીએ આપેલ રાવળદેવને
ડાક-ડમરૂ અને તે ડાક ડમરૂને ધારણ કરનાર અને વગાડનાર અને દૈવી
શક્તિની ઉપાસના કરનાર રાવળદેવ સમાજ અને માતાજીના ભૂવાઓ વિશે
અભદ્ર ટિપ્પણી ચાલુ કથાએ કરવામાં આવી અને શિવ અને શક્તિના
ઉપાસક અને ડાક-ડમરૂને ધારણ કરનાર અનેઆદિ-અનાદિ કાળથી તેને
વગાડતા આવતા અને મા શક્તિ અને શિવની ઉપાસના કરતા સમસ્ત
રાવળદેવ સમાજ વિશે ઢોંગ-ધતિંગ જેવા અભદ્ર શબ્દો વાપરી અન્ય પ્રજાને
રાવળદેવ અને ભૂવાઓથી ધૃણા ઉપજે અને તેનું સમાજમાં માન ઘટે તેવાઆ અભદ્ર ટિપ્પણી કરી તદ્દન ખોટા અને નાહકના પ્રયાસો કરવામાં આવ્યા
છે અને ભૂવાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાબતની
સિહોર ડે કલકેટરને રેલી સ્વરૂપે આવેદન આપી રાવળદેવ સમાજના
આગેવાનોએ ઉપરોકત રજૂઆત કરી હતી. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.