લીલીયા મોટા ના એક્લેરા માં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ની ઉપસ્થિતિ માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું - At This Time

લીલીયા મોટા ના એક્લેરા માં જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઈતેશભાઈ મહેતા ની ઉપસ્થિતિ માં સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરાયું


વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી સેવા વિભાગ અને લીલીયા પ્રખડ દ્વારા આયુષ્ય નિયામક અને આર્યુવેદિક અમરેલી વિભાગ ના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન ૨૧.૬.૧૪.સવારે 9 કલાકે એકલેરા હેલ્થ સેન્ટર ખાતે આયોજન કરવા માં આવેલ
આ કેમ્પ. નું એકલેરા ના સરપંચ રાજેશ્વરી રાજ્યગુરુ ના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ જ્યારે અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ઇતેશભાઈ મહેતા , અને જયેશભાઈ રાજ્યગુરૂ ખાસ ઉપસ્થિત રહેલ
આ કેમ્પ માં ડો. ખોડીદાસ શુક્લા, ડૉ. કાર્તિક સોલંકી,સાગર જોષી એ સેવા આપેલ
કેમ્પ ને સફળ બનાવવા. જિલ્લા સેવા પ્રમુખ યુવરાજ સિંહ ના માર્ગદર્શન માં લીલીયા પ્રખડ મંત્રી દિનેશભાઈ સંગતાની ઉપાધ્યક્ષ ભરતભાઈ રાજ્યગુરુ દ્વારા જહેમત ઉઠાવી કેમ્પ ને સફળ બનાવેલ

રિપોર્ટર
ઇમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.