જસદણમાં કૈલાશ નગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં 12 કલાક અખંડ ધૂન નું આયોજન થયું - At This Time

જસદણમાં કૈલાશ નગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં 12 કલાક અખંડ ધૂન નું આયોજન થયું


જસદણમાં કૈલાશ નગર ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામી શ્રી ધર્મનંદનદાસજી સ્વામિના માર્ગદર્શન મુજબ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન સંચાલિત જસદણ સ્વામિનારાયણ મંદિર ખાતે 12 કલાકની અખંડ ધૂન નું આયોજન કરવામાં આવેલ આ ધુનમાં ભક્તોએ ખૂબ આનંદ માણ્યો હતો અને સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના અર્ચના કરી હતી આ ધૂનના આયોજનમાં કલાક કલાકના વારા પ્રમાણે નાના-મોટા ભક્તો જોડાયા હતા સવારમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ ની મહા નિરાજન આરતી તથા પૂજન શ્રી પ્રભુ સ્વામી એ કરેલ ત્યારબાદ ભક્તોને શ્રી ધર્મનંદન સ્વામીએ ધૂન નો મહિમા કહ્યો હતો આ 12 કલાકની ધૂન નો પ્રારંભ સ્વામી શ્રી કૃપાવત્સલ સ્વામી તથા વેદાંત સ્વામીએ કરાવ્યો હતો અખંડ ધૂનના યજમાન શ્રી દર્શિત વિપુલભાઈ સુલીયા જળપાન કર્યા વિના નિર્જળા ઉપવાસ કરીને ધૂનમાં જોડાયા હતા જસદણ પ્રેમવતી મહિલા સંસ્‍કાર મંદિર ખાતે પણ અખંડ ધૂનનું મહિલાઓ દ્વારા આયોજન થયેલ વિશેષમાં શ્રી ઘનશ્‍યામ મહારાજને શ્રી ભક્‍તિ મહિલા મંડળ તથા પ્રેમવતી મહિલા સંસ્‍કાર મંદિરના સાંખ્‍ય યોગી મહિલાઓએ ચણા, તુવેરદાળ, મગદાળ, ચોળી, મગ, વાલ, વટાણા, રાજમા, અડદ વગેરે કઠોળના વાઘા તૈયાર કરેલ. ૩૦ કલાક ઉપરાંતની ભક્‍તિથી તૈયાર થયેલ વાઘા ભગવાન શ્રી સ્‍વામિનારાયણને ધરાવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.