વીરનગર કનેસરા ગામ વચ્‍ચે રોકડીયા હનુમાન મંદિર પાસે આવેલ વીડમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્‍યો - At This Time

વીરનગર કનેસરા ગામ વચ્‍ચે રોકડીયા હનુમાન મંદિર પાસે આવેલ વીડમાંથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવ્‍યો


વિરનગર કનેસરા ગામ વચ્ચે રોકડીયા હનુમાન મંદિર પાસે આવેલા વિડમાંથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો આ વ્યકતિ મજૂર હોવાનું અનુમાન લાગી રહ્યું છે. ગ્રામજનો દ્વારા જાણ થતા આટકોટ પોલીસને જાણ કરાય હતી. જેથી વીરનગરનાં સરપંચ સહિત લોકો ઘટના સ્‍થળે દોડી ગયા હતાં. આજુબાજુના લોકોને પુછપરછ કરવામાં આવી હતી. થોડા દિવસ પહેલા આટકોટ પાસે પણ કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. ત્‍યારે આજે રોકડીયા હનુમાનજી મંદિર પાસે આ લાશ મળી આવી જેને પી. એમ. અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી હતી. આટકોટ પોલીસે તપાસ હાથ ધરી છે.

તસ્‍વીર : કરશન બામટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.