રાજકોટનાં ઈશ્વરભાઈ ઘુઘરાવાળાને ત્યાં 140 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો ઝડપાયો, 1.50 લાખનો દંડ ફટકારાયો - At This Time

રાજકોટનાં ઈશ્વરભાઈ ઘુઘરાવાળાને ત્યાં 140 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો ઝડપાયો, 1.50 લાખનો દંડ ફટકારાયો


રાજકોટમાં મનપા અને કલેક્ટર તંત્ર દ્વારા ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના ઈશ્વરભાઈ લાલજીભાઈ કાકુ (ઈશ્વરભાઈ ઘુઘરાવાળા)ને ત્યાંથી 140 કિલો અખાદ્ય ચટણીનો જથ્થો મનપાનાં ફુડ વિભાગ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. આ અંગેનો કેસ આજે અધિક કલેકટરની ફૂડ કોર્ટમાં ચાલતા ઈશ્વરભાઈ ઘુઘરાવાળાને દોઢ લાખનો દંડ અધિક કલેકટર ચેતન ગાંધી દ્વારા ફટકારવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.