*નેત્રંગઃ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પ્રજાને ગરમી બફારાથી રાહત મળી* - At This Time

*નેત્રંગઃ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી પ્રજાને ગરમી બફારાથી રાહત મળી*


, નેત્રંગ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય નારાયણ ના આકારા તાપ તડકા થી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા હતા. તેવા સંજોગોમાં આજે તા ૯મી ના રોજ બપોર ૩.૩૦ કલાક પછી વાતાવરણ મા ફેરફાર થતા દક્ષિણ દિશા તરફથી મેઘરાજે ગાજવીજ અને પવન ના સુસવાટા સાથે સાંજના ૪ વાગ્યા થી મેઘરાજા સવારી લઈ આવી પહોંચતા ચારે તરફ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આમ પ્રજાએ ગરમી અને બફારાથી રાહત મળી છે. તો બીજી તરફ પંથકમાં મોટા ભાગના ખેડૂતો પોતપોતાના ખેતરોમાં વાવણી કરવાથી વંચિત રહી ગયા છે. આજે સાંજ ના ૪ થી ૫.૩૦ સુધીમા ૧૪ એમ.એમ.વરસાદ નોંધાયો છે.


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.