અગ્નિકાંડની તપાસમાં સીટ કડાકા ભડાકા કરવાના મૂડમાં, બે માસનો વધુ સમય માગ્યો - At This Time

અગ્નિકાંડની તપાસમાં સીટ કડાકા ભડાકા કરવાના મૂડમાં, બે માસનો વધુ સમય માગ્યો


ત્રિવેદી જુલાઇમાં નિવૃત્ત થવાના છે ત્યારે સત્ય અને સ્પષ્ટ રિપોર્ટ રજૂ કરી નિવૃત્તિ મેળવે તેવી ચર્ચા

અગ્નિકાંડમાં ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય પાંખની ભૂમિકાનો પણ ભાંડાફોડ થવાના નિર્દેશ

રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટનામાં 30-30 લોકો જીવતા ભૂંજાઇ જવાની ગોઝારી ઘટનાના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. રાજ્ય સરકારે સીટની રચના કરી સત્ય હકીકત બહાર લાવવાનો આદેશ કર્યો છે. ત્યારે સીટના વડા સુભાષ ત્રિવેદીએ તપાસ માટે વધુ બે મહિનાનો સમય માગ્યો છે. સુભાષ ત્રિવેદી બે મહિના બાદ નિવૃત્ત થઇ રહ્યા છે ત્યારે તેઓ સત્ય અને સ્પષ્ટ રિપોર્ટ સુપરત કરી નિવૃત્તિ મેળવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.