કેજરીવાલનો પ્રચાર પૂરો, હવે જેલમાં જવું પડશે:કોર્ટમાંથી રાહત ન મળી, કાલે જ સરેન્ડર કરવું પડશે; EDએ કોર્ટમાં કહ્યું- દિલ્હીના CMએ પોતાના સ્વાસ્થ્ય અંગે ખોટો દાવો કર્યો - At This Time

કેજરીવાલનો પ્રચાર પૂરો, હવે જેલમાં જવું પડશે:કોર્ટમાંથી રાહત ન મળી, કાલે જ સરેન્ડર કરવું પડશે; EDએ કોર્ટમાં કહ્યું- દિલ્હીના CMએ પોતાના સ્વાસ્થ્ય અંગે ખોટો દાવો કર્યો


દિલ્હીના CM અરવિંદ કેજરીવાલને 2 જૂને જેલમાં જવું પડશે. રાઉઝ એવન્યુ કોર્ટે 1 જૂનના રોજ મેડિકલ આધાર પર જામીન અરજી પર સુનાવણી કરી હતી. વિશેષ જજ કાવેરી બાવેજાએ 5 જૂન સુધી નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં શનિવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં CM અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રીએ મેડિકલ ગ્રાઉન્ડ પર 7 દિવસના જામીનની માગ કરી છે, પરંતુ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કોર્ટમાં તેમની અપીલનો વિરોધ કર્યો હતો. EDનો દાવો - કેજરીવાલનું વજન 7 કિલો ઘટ્યું નથી, પરંતુ 1 કિલો વધ્યું છે
વિશેષ જજ કાવેરી બાવેજાની ખંડપીઠમાં પોતાની દલીલો રજૂ કરતી વખતે EDએ દાવો કર્યો હતો કે કેજરીવાલે તેમના આરોગ્ય અંગે ખોટાં નિવેદનો આપ્યા છે. તેમનું વજન 1 કિલો વધ્યું છે, પરંતુ તેઓ ખોટો દાવો કરી રહ્યા છે કે તેમનું વજન 7 કિલો ઘટી ગયું છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે કેજરીવાલે 31 મેના રોજ પ્રેસ-કોન્ફરન્સમાં પણ ભ્રામક દાવો કર્યો હતો કે તેઓ 2 જૂને સરેન્ડર કરવાના છે. જોકે કેજરીવાલના વકીલે કોર્ટમાં કહ્યું હતું કે તેઓ બીમાર છે અને તેમની સારવારની જરૂર છે. કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તેમને 10 મેના રોજ વચગાળાના જામીન આપ્યા હતા, જે 1 જૂનના રોજ પૂરા થઈ રહ્યા છે. તેમણે 2 જૂને સરેન્ડર કરવું પડશે. કોર્ટમાં SGની દલીલ - મુસાફરી દરમિયાન તમારો ટેસ્ટ કેમ ન કરાવ્યો?
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર બોલતાં આદેશ પસાર કર્યો, પરંતુ કેજરીવાલે એ આદેશને અવગણ્યો હતો. એની પાછળનું કારણ એ છે કે તેઓ ચૂંટણીપ્રચારના હેતુથી યાત્રા કરી રહ્યા હતા, પરંતુ ત્યારે તેમનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો ન હતો. જામીનનો વિરોધ કરતાં EDએ કહ્યું હતું કે અમને વચગાળાના જામીન અરજી સામે પણ વાંધો છે. આ કોર્ટ સુપ્રીમ કોર્ટના આદેશને બદલી શકે નહીં. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપ્યા હોવાથી તેઓ વચગાળાના જામીન પર છે. મેડિકલ ટેસ્ટ કરાવવાને બદલે તેઓ યાત્રા કરી રહ્યા હતા. જ્યારે મેડિકલ ટેસ્ટમાં એક કલાકથી વધુ સમય લાગશે નહીં. કેજરીવાલના વકીલે કહ્યું- વચગાળાના જામીન માત્ર ચૂંટણીપ્રચાર માટે આપવામાં આવ્યા હતા
અરવિંદ કેજરીવાલના વકીલ એન હરિહરને કોર્ટને કહ્યું હતું કે પાર્ટી માટે પ્રચાર કરવાના હેતુથી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે, કારણ કે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી છે. કેજરીવાલ 20 દિવસ માટે બહાર છે અને જો તેમણે આમ ન કર્યું હોત તો તમે કહ્યું હોત કે જુઓ... તેમણે પ્રચાર નથી કર્યો અને બીમાર પડી ગયા છે. વીડિયો જાહેર કર્યા બાદ કેજરીવાલે શું કહ્યું? ​​​​​​સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો
28 મેના રોજ સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. દિલ્હીના મુખ્યમંત્રીએ મેડિકલ આધાર પર 1 જૂન સુધી વચગાળાના જામીન 7 દિવસ વધારવાની માગ કરી હતી. જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની વેકેશન બેન્ચે કહ્યું હતું કે વચગાળાના જામીન લંબાવવાનો નિર્ણય CJI લેશે, કારણ કે મુખ્ય કેસમાં કેજરીવાલ વિરુદ્ધનો ચુકાદો સુરક્ષિત છે. AAPએ કહ્યું- કેજરીવાલનું કીટોન લેવલ ઘટ્યું છે, આ ગંભીર બીમારીની નિશાની છે
આમ આદમી પાર્ટીએ સોમવારે દલીલ કરી હતી કે તેમની ધરપકડ બાદ કેજરીવાલનું વજન 7 કિલો ઘટી ગયું છે અને તેમનું કીટોન લેવલ ઊંચું છે, જે કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. AAPએ એમ પણ કહ્યું હતું કે ડોક્ટરોએ કેજરીવાલને પોઝિટ્રોન એમિશન ટોમોગ્રાફી અને કોમ્પ્યુટેડ ટોમોગ્રાફી (PET-CT) સ્કેન અને અન્ય કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી, જેના કારણે તેમણે વચગાળાના જામીન લંબાવવાની માગ કરી છે. જેલમાં હતા ત્યારે તેમનું શુગર લેવલ પણ સતત ચર્ચાનો વિષય બન્યું હતું. કેજરીવાલ અને તેમની પાર્ટીએ એવો પણ દાવો કર્યો હતો કે તેમને ઇન્સ્યુલિન આપવામાં આવતું નથી. 4 જૂને સ્થાનિક કોર્ટમાં EDની પૂરક ચાર્જશીટ પર સુનાવણી: દિલ્હીની સ્થાનિક કોર્ટે 28 મેના રોજ કેજરીવાલ સામે EDની પૂરક ચાર્જશીટને 4 જૂન સુધી ધ્યાનમાં લેવાનો પોતાનો આદેશ સુરક્ષિત રાખ્યો છે. EDએ 17 મેના રોજ રાઉઝ એવન્યુ કોર્ટમાં 18મી સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજt કરી હતી, જેમાં કેજરીવાલ અને AAPને આરોપી બનાવવામાં આવ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.