એર ઈન્ડિયાના વિમાનમાં અનેક મુસાફરો બેભાન:8 કલાક સુધી AC બંધ હાલતમાં વિમાનમાં બેસાડી રાખ્યા; 20 કલાકના વિલંબ સાથે આજે દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ ઉપડશે - At This Time

એર ઈન્ડિયાના વિમાનમાં અનેક મુસાફરો બેભાન:8 કલાક સુધી AC બંધ હાલતમાં વિમાનમાં બેસાડી રાખ્યા; 20 કલાકના વિલંબ સાથે આજે દિલ્હી-સાન ફ્રાન્સિસ્કો ફ્લાઇટ ઉપડશે


દિલ્હી એરપોર્ટ પર ગુરુવારે (30 મે), એર ઈન્ડિયાની ફ્લાઈટ ​​​​​​મુસાફરોને બેસાડ્યા બાદ 8 કલાક મોડી પડી હતી. ભીષણ ગરમીમાં 8 કલાક સુધી AC બંધ હાલતમાં વિમાનમાં મુસાફરોને બેસાડી રાખવામાં​​​​​​​આવ્યા હતા, જેના કારણે અનેક મુસાફરોને બેભાન થઈ ગયા હતા. લોકોએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યા બાદ તમામને ફ્લાઈટમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. મામલો એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 183નો છે, જે ગઈ કાલે બપોરે 3:20 વાગ્યે દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જવાની હતી. આ ફ્લાઇટ હવે લગભગ 20 કલાકના વિલંબ સાથે આજે ઉપડશે. ઘણા મુસાફરોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એર ઈન્ડિયાને ટેગ કરીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. સ્વેતા પુંજ નામના પેસેન્જરે શુક્રવારે (31 મે) ના રોજ તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે અમને મોડી રાત્રે હોટેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા અને આજે સવારે 8 વાગ્યે એરપોર્ટ પહોંચવાની જાણ કરવામાં આવી હતી. હવે અમે એરપોર્ટ પર પહોંચી ગયા છીએ, અમને પાછા હોટેલ પર જવાનું કહેવામાં આવ્યું છે. બે કલાકમાં મુસાફરો એરપોર્ટ પર પહોંચ્યાને 24 કલાક થઈ જશે. અભિષેક શર્મા નામના એક્સ યુઝરે જણાવ્યું કે તેના માતા-પિતા ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા છે. ગુરુવારે (30 મે) લોકોને AC બંધ હાલતમાં વિમાનમાં બેસાડી દેવામાં આવ્યા હતા. બાદમાં પછી તેમને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા અને તેમને ટર્મિનલમાં પ્રવેશવા દેવામાં આવ્યા નહીં કારણ કે ઇમિગ્રેશન પહેલેથી જ થઈ ચૂક્યું હતું. અભિષેકે શુક્રવારે (31 મે) સવારે જણાવ્યું કે મુસાફરોને રાત્રે 2 વાગ્યે હોટલના રૂમ આપવામાં આવ્યા હતા. નવો બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે ફ્લાઈટ આજે સવારે 11 વાગ્યે ઉપડશે. મારા માતા-પિતા એરપોર્ટ પર આવી ગયા છે, પરંતુ લાગે છે કે આ ફ્લાઇટ પણ રદ કરવામાં આવી છે. એર ઈન્ડિયા તરફથી કોઈ મદદ કરી રહ્યું નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.