ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની શૌર્યભૂમિ ફાગવેલમાં સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે ભવ્ય ભવન નામે *"શૌર્યધામ"* નું નિર્માણ - At This Time

ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની શૌર્યભૂમિ ફાગવેલમાં સામાજિક અને શૈક્ષણિક હેતુ માટે ભવ્ય ભવન નામે *”શૌર્યધામ”* નું નિર્માણ


આસ્થાના ધામ વીરભૂમી ફાગવેલમાં સૌના સાથ, સહકાર અને આશીર્વાદ થી ક્ષત્રિય વીર ભાથીજી મહારાજની વીરતાના પ્રતિક સમા શૌર્યધામ, શૌર્યસ્તંભ અને શૌર્યદધ્વજનું નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે આ વિચાર ક્રાંતિ કાર્યક્રમમાં પધારવા સૌને અમારૂ જાહેર આમંત્રણ છે.

જીવન ઘડતરની વિવિધલક્ષી પ્રવૃતિઓ અને તાલીમ દ્વારા સામાજિક, શૈક્ષણિક, આર્થિક, રોજગાર લક્ષી, વ્યસન મુક્તિ અને આત્મીય એકતાના મંત્ર વડે સમાજમાં આમૂલ પરિવર્તન લાવવાના હેતુથી તાલીમી સંસ્થા શૌર્યધામનું નિર્માણ થઇ રહ્યું છે. ત્યારે...

ગુજરાતના ધર્મપ્રેમી ભાઈ-બહેનો, સંત- મહાત્માઓ, સમાજના આગેવાનો, વર્તમાન અને પૂર્વ ધારાસભ્યશ્રીઓ, સંસદ સભ્યશ્રીઓ, તાલુકા-જીલ્લાના સભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, કર્મચારીઓ, સામાજીક, ધાર્મિક અને શૈક્ષણિક સંગઠનોના હોદ્દેદારશ્રીઓ, શિક્ષક મિત્રો, યુવક મંડળો, મહિલા મંડળો, આખ્યાન અને ભજન મંડળો, મંદિરોના સેવકો તથા ગૌરવવંતો ઇતિહાસ લખનારા સૌ યુવક-ભાઈ બહેનો, સમાજની ક્રાંતિકારી સંસ્થા શૌર્યધામના સાક્ષી બનવા કાર્યક્રમમાં જરૂર પધારશોજી.


9825094436
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.