હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ રામોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ - At This Time

હળવદમાં વિશ્વ હિન્દુ પરિષદ રામોત્સવ સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઈ


વિશ્વ હિન્દુ પ્રેરિત રામ ઉત્સવ ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત શ્રી રામોત્સવ શોભાયાત્રા આજે બપોરે ૪ લક્ષ્મીનારાયણ મંદિર થી પ્રસ્થાન થઈ હળવદ ના મુખ્ય માર્ગો પર થઈ વૈજનાથ મહાદેવ મંદિર ખાતે સમાપન થયેલ યાત્રા મા વિવિધ વિસ્તાર માં થી આકર્ષક ફ્લોટ્સ વેશભૂષા કરેલ બાળકો તેમજ મોટી સંખ્યા મા રામ ભક્તો તેમજ સંતો જોડાયા શોભાયાત્રા મા ઘોડેસવારી ના કરતબ એ આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા યાત્રા નું આંબેડકર નગર ખાતે અનુસૂચિત જાતિ ના ભાઈ બહેનો દ્વારા ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું યાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા સરબત છાશ ઠંડા પીણા ના સ્ટોલ કરવામાં આવ્યા વૈજનાથ મહાદેવ ટ્રસ્ટ દ્વારા સમાપન સ્થળ પર સુંદર વ્યવસ્થા કરવામાં આવેલ હળવદ વેપારીઓ દ્વારા અડધો દિવસ વેપાર ધંધા સ્વયંભૂ બંધ રાખ્યા હતા અને હળવદ ના વેપારીઓ - કિશાનો - યુવાનો- નારી શક્તિ સહિત હળવદ ના સર્વે સમાજ ના રામભક્તો આ શોભાયત્રા માં જોડાયા હતા તેમજ હળવદ પોલીસ પ્રશાસન દ્વારા સુંદર
ટ્રાફિક વ્યવસ્થા અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી અને હળવદ ના સર્વે પત્રકારો એ ખૂબ સુંદર કવરેજ લીધું હતું ત્યારે આયોજક સમિતિ ના અધ્યક્ષ અશ્વિનભાઈ પટેલ એ આયોજન માં સહયોગી સર્વે નો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.