દારૂના ગુનામાં છૂટ્યા બાદ બે શખ્સોએ મનહરપુરમાં આતંક મચાવ્યો: કારના કાચ ફોડ્યા - At This Time

દારૂના ગુનામાં છૂટ્યા બાદ બે શખ્સોએ મનહરપુરમાં આતંક મચાવ્યો: કારના કાચ ફોડ્યા


દારૂના ગુનામાં છૂટ્યા બાદ દારૂના નશામાં ધુત કૃણાક ઉર્ફે મોરલી અને યશપાલ બોરીચાએ હથિયારો સાથે નીકળી મનહરપુરમાં આતંક મચાવી કારના કાચ ફોડી નાંખતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બંને શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.
બનાવ અંગે મનહરપુરમાં યોગરાજ-2 માં રહેતાં જયદીપભાઇ હસમુખભાઈ ચાવડા (ઉ.વ.31) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે કૃણાક ઉર્ફે મોરલી કોઠીવાલા અને યશપાલ બોરીચાનું નામ આપી જણાવ્યું હતું કે, તેઓ ડ્રાઇવીંગ કામ કરે છે. તેઓ તેના મિત્રની વેગેનઆર કાર લગ્ન પ્રસંગ હોવાથી પોતાના ઘરે લાવેલ હતાં. ગઈ રાત્રીના એકાદ વાગ્યે તેઓ ઘરે હતાં અને કાર તેમને ઘરની સામેના પ્લોટમાં પાર્ક કરેલ હતી. ત્યારે પાછળથી દેકારો સંભળાતા તેઓએ જઈને જોયેલ તો તેમની કાર પાસે બે શખ્સો ઉભા બકવાસ કરતા જોવામા આવેલ અને તેઓ કાર પાસે જતાં હતાં
ત્યારે તેમની પાડોશમા રહેતો કુણાલ ઉર્ફે મુરલી અને યશપાલ બોરીચા બન્ને કોઇક સાથે ઝઘડો કરી દેકારો કરતા હતા અને વાત વાતમાં ગાડીના પાછળનો ડેકી વાળો કાચ હથીયારના ઘા ઝીંકી તોડી નાખેલ અને ત્યાથી દેકારો કરતા નાસી છૂટ્યા હતાં. બનાવ વખતે યશપાલને હાથમા કાચ ફોડવા જતા સામન્ય ઇજા થયેલ હતી.વધુમાં ફરિયાદીએ ઉમેર્યું હતું કે, મને જાણવા મળ્યું હતું કે, બંને શખ્સો કોઈ ગુનામાં પોલીસે પકડ્યા બાદ છૂટીને આવ્યા અને મનહરપુરમાં કોઈ સાથે ઝઘડો કર્યો હતો અને દારૂના નશામાં તેઓની કારના કાચ પણ તોડી નાંખ્યા હતાં.
બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.