બાબરી માઈનોર કેનાલ નું રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું - At This Time

બાબરી માઈનોર કેનાલ નું રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું


સમી:સમી તાલુકાના વિસ્તારમાંથી પસાર થતી અમરાપુર બ્રાન્ચ કેનાલ માંથી નીકળતી બાબરી કેનાલ નું રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવતા છેવાડાના ખેડૂત સુધી પાણી પહોંચે તે માટે કાર્યપાલક ઇજનેર સાહેબ શ્રી ને તાલુકા પંચાયતના સદસ્ય નરેશજી ઠાકોર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. તો આજરોજ તાત્કાલિક ધોરણે કેનાલનું મરામત કામ ચાલુ થતા ખેડૂતો ને પોતાના ખેતર સુધી પાણી મળી રહેશે તેમ જણાવ્યું હતુ. નરેશજી ઠાકોર ના જણાવ્યા મુજબ સમી તાલુકાના અંતરિયાળ વિસ્તાર ના લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી અને ખેતી હોવાથી તેમને વરસાદ ઉપર આધાર રાખવો પડે છે માટે કેનાલોનું કામ તાત્કાલિક પૂરું કરી ખેડૂતોને પાણી મળી રહે તે માટે સત્વરે કામ કરવા જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.