બોટાદ ખાતે યોજાઈ વર્તનથી પરિવર્તન કાર્યશાળા. - At This Time

બોટાદ ખાતે યોજાઈ વર્તનથી પરિવર્તન કાર્યશાળા.


બોટાદ ખાતે યોજાઈ વર્તનથી પરિવર્તન કાર્યશાળા.

આનંદાલય બોટાદ જિલ્લા દ્વારા શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ આજ રોજ નવહથ્થા હનુમાનજી મંદિર ખાતે વર્તનથી પરિવર્તન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આનંદાલય બોટાદ પરિવારના મિત્રોએ હાજર રહી ચારિત્ર્ય નિર્માણ થકી સમાજ અને રાષ્ટ્ર ઘડતર કેવી રીતે થાય અને વિદ્યાર્થીઓમાં મુલ્યશિક્ષણ પાઠ કેવી રીતે ચરિતાર્થ કરવા એ સંદર્ભે વિચારોની આપ-લે કરી , સંકલ્પબદ્ધ થઈ , કામે લાગી જવા કટિબદ્ધતા દર્શાવી હતી. સમગ્ર કાર્યશાળાનું આયોજન પ્રવિણભાઈ ખાચર માર્ગદર્શન હેઠળ સંચાલન પારેખ લાલજીભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.

Report, Nikunj Chauhan Botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.