રાજકોટના રતનપરમાં સાસુ-વહુને 'તમારૂ દર્દ મટી જશે' કહીને ગઠીયો મોબાઈલ અને રોકડ રકમ ચોરીને નાસી ગયો - At This Time

રાજકોટના રતનપરમાં સાસુ-વહુને ‘તમારૂ દર્દ મટી જશે’ કહીને ગઠીયો મોબાઈલ અને રોકડ રકમ ચોરીને નાસી ગયો


રાજકોટ મોરબી રોડ પર રતનપર ગામ ખાતે ભારત પાર્ક-1 માં આવેલી અયોધ્યા રેસીડેન્સીમાં ભિક્ષુકનાં સ્વાંગમાં આવેલો ગઠીયો સાસુ, વહુને વિધિના બહાને આંખો બંધ કરાવી બે મોબાઈલ સહિત રૂ.33 હજારના મુદ્દામાલની ચોરી કરી નાસી ગયો હતો. કુવાડવા પોલીસે ગઠીયાની ઓળખ મેળવી તપાસ હાથ ધરી છે.

રાજકોટ મોરબી રોડ પર રતનપર નજીક ભારત પાર્ક-1 માં રહેતા ચાંદનીબેન મોહિતભાઈ જોશી અને તેના સાસુ ભાવનાબેન ગઈ તારીખ 5 ઓગસ્ટના રોજ સવારે ઘરે હાજર હતા ત્યારે એક ભિક્ષુક આવ્યો હતો. જેને ચા બનાવવાનું કહેતા તેને ચા પીવડાવી હતી. તે સાથે જ તે ભિક્ષુકે જાળ ફેલાવી બંનેને કહ્યું કે, ';હું તમને વિધિ કરી આપીશ જેથી તમારૂ દુખ, દર્દ મટી જશે.'


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.