રાજકોટના ગુરૂકુલમાં સ્વામીએ વિદ્યાર્થીને માર માર્યો - At This Time

રાજકોટના ગુરૂકુલમાં સ્વામીએ વિદ્યાર્થીને માર માર્યો


રાજકોટના ગુરૂકુલમાં સ્વામીએ વિદ્યાર્થીને માર માર્યો
20 December, 2023 05:33 PM
કેવલ નાખુવા ધો.12માં અભ્યાસ કરે છે, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો : આનંદસ્વરૂપ સ્વામી સામે આક્ષેપો કર્યા:બપોરે જમણવાર ચાલુ હોય કેવલને પીરસવાનું કહેતા તેણે ના પાડતા સ્વામીએ ફડાકા ઝીંકી ચીંટીયા ભર્યાનો આક્ષેપ
રાજકોટ, તા.20 : શહેરના ઢેબર રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરૂકુલમાં અહીં જ અભ્યાસ કરતા ધો.1રના વિદ્યાર્થીને એક સ્વામીએ બેફામ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. વિદ્યાર્થીને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો. આક્ષેપો કરનાર વિદ્યાર્થી કેવલ પ્રવિણભાઇ નાખુવા (ઉ.વ.18)એ જણાવ્યું કે તેનો પરિવાર ગોંડલ ખાતે સહજાનંદનગર, રેલ્વે સ્ટેશન પાસે રહે છે. કેવલ અહીં રાજકોટ ખાતે ઢેબર રોડ પર આવેલા સ્વામીનારાયણ ગુરૂકુલમાં રહે છે અને અહીં ધો.12માં અભ્યાસ કરે છે.
તે આજે ગુરૂકુલ ખાતે હતો ત્યારે જમણવાર ચાલતો હતો ત્યારે અહીંના સ્વામી આનંદસ્વરૂપ સ્વામીએ કેવલને બોલાવી જમવાનું પીરસવાનું કહ્યું હતું. કેવલે જમવા પીરસવા જવાની ના પાડતા કારણ આપ્યું હતું કે તે પીરસવા જાય છે તો રોજ તેના અભ્યાસમાં મોડુ થાય છે. આ સાંભળી સ્વામી ઉગ્ર થઇ ગયા અને કેવલને ફડાકા ઝીંકી ચીંટીયા ભર્યા હતા. કેવલે તેના પરિવારને જાણ કરતા કેવલના વાલીઓ દોડી આવેલ અને કેવલને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં તેણે સારવાર લીધી હતી પોલીસને જાણ થતા વધુ તપાસ હાથ ધરાઇ છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.