સુરેન્દ્રનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષરોપણનુ આયોજન કરવામાં આવ્યું હતું. - At This Time

સુરેન્દ્રનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ દ્વારા વૃક્ષરોપણનુ આયોજન કરવામાં આવ્યું હતું.


તા.29/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાનથી ભારતને હરિયાળું કરવાના સંકલ્પ સાથે આજ રોજ શનિદેવ મંદિર પાસે વઢવાણ સુરેન્દ્રનગર સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ સુરેન્દ્રનગર જીલ્લા દ્વારા વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીલ્લા ભાજપ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલિયા, SVGRYB ઝોન સંયોજક દિલીપભાઈ ગઢવી, જીલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા ઝાલા, શહેર ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, વિશ્વ હિન્દુ પરીસદ અધ્યક્ષ જયેશભાઈ શુક્લ, જીલ્લા સંયોજક ગુંજનભાઈ સંઘવી તેમજ સુરેન્દ્રનગર નગરપાલિકા સંયોજક મયુરભાઈ વાઘેલા, શકિતસિંહ ઝાલા, પાર્થભાઈ દવે, પ્રીયાંકભાઈ રામાનુજ અને બહોળી સંખ્યામાં વૃક્ષ પ્રેમીઓ જોડાયા હતાં આ છોડ વરસાદની ઋતુમાં સુંદર રીતે વૃક્ષમાં રૂપાંતર થશે અને જીલ્લો હરિયાળો બનશે SVGRYB નાં ઝોન સંયોજક દિલીપભાઈ ગઢવીએ ઉપસ્થિત યુવાનોને વધુમાં વધુ વૃક્ષો વાવીને, પ્રયાવરણ સરક્ષણ કરવાનો સંકલ્ય કરાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.