લીલીયા ના કલ્યાણપર ને શાખપુર ને જોડતા રસ્તા ની સેફ્ટી દીવાલ ધરાશાઈ - At This Time

લીલીયા ના કલ્યાણપર ને શાખપુર ને જોડતા રસ્તા ની સેફ્ટી દીવાલ ધરાશાઈ


લાઠી તેમજ લીલીયા તાલુકાના બંન્ને ગામો
લીલીયા ના કલ્યાણપર અને લાઠી ના શાખપુરને જોડતો જે રસ્તો છે તે સડક ની સેફટી માટે જે દિવાલ બનાવવામાં આવી હતી તે દિવાલ ધરાશય થઈ ગઈ હોવાથી ત્યાં દિવાલ બનાવીને રોડ રસ્તો બનાવવા બાબત કલ્યાણપર ના જાગૃત નાગરિક અશ્વિનભાઈ બલર દ્વારા કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન અમરેલી ને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવેલ છે જે પત્ર માં જણાવેલ કે કલ્યાણપર તથા શાખપુર તરફ જતો રસ્તો છે તે સડકનુ કામ ૨૦૧૮ મા કરવામા આવ્યુ હતુ ને ત્યારે તે સડકને પાણી થી ધોવાણ ન થાય તથા સડકની સલામતી માટે અંદાજે ૪૦ ફુટ ની દિવાલ બનાવવામાં આવી હતી. પરંતુ હવે તે દિવાલ પડી ગયેલ છે. તે પડી ગયેલ દિવાલ આજે પણ વહેણ મા પડેલ છે.એટલે દર વર્ષે વરસાદના પાણી થી રોડનુ ધોવાણ થતુ રહે છે.જે બાબતે અરજદાર દ્વારા લેખીતમાં રજુઆત કરવા માં આવેલછે શાખપુર થી કલ્યા ણપર તરફ જતા રસ્તાની ખુબજ દયનીય પરીસ્થીતી છે. આપ સાહેબ ને જાણ થાય કે હકીકત શુ છે. જે દિવાલ પડી ગયેલ છે. તે દિવાલ ફરી નવી બનાવી આપવા વિનંતી છે તથા જો આ પરીસ્થીતી અંગે યોગ્ય સમયે જો ધ્યાન આપવામાં ન આવે તો કોઈ મોટી દુર્ઘટના બની શકવાની સંભાવના રહે છે. તો નમ્ર અરજ છે કે રૂબરુ સ્થળે જઈ અથવા તો માહીતી લઈ ને યોગ્ય કાર્યવાહી કરવા બાબતે અશ્વિનભાઈ બલર દ્વારા પત્ર પાઠવાયો છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે

રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.