જસદણના રાણીંગપર ગામે સમાધાન ના થતા મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ - At This Time

જસદણના રાણીંગપર ગામે સમાધાન ના થતા મારામારી, સામસામી ફરિયાદ નોંધાઈ


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જસદણ તાલુકાના રાણીગપર ગામે સમાધાન ના થતા ચાર ઇસમોએ મહિલા અને તેના પતિને માર મારી લાકડી વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાઈ છે જયારે સામાપક્ષે પણ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે વધુ તપાસ ચલાવી છે. રાણીગપર ગામના રહેવાસી જીજાબેન વનરાજભાઈ સોમાણીએ આરોપી દલસુખ નાનજી સોમાણી, રાજેશ નાનજી સોમાણી, કાળું ઉર્ફે લવજી સોમાણી અને અજય લવજી સોમાણી રહે બધા રાણીગપર એમ ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના ઘરે આરોપી રાજેશ સોમાણી સમાધાન માટે ગયેલ પરંતુ સમાધાન ના થતા આરોપીઓએ લાકડી લઈને આવી જીજાબેનને પેટના ભાગે પાટું મારી તેમજ વનરાજભાઈને લાકડીનો ઘા પગમાં મારી ઈજા કરી હતી અને ગાળો આપી હતી. જયારે સામાપક્ષે દલસુખ નાનજી સોમાણીએ આરોપી ઠાકરશી ભીમા સોમાણી, વનરાજ ઠાકરશી સોમાણી અને જીજાબેન વનરાજ સોમાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે આરોપીઓએ લાકડીનો ઘા પગમાં મારી તેમજ ત્રણેય ઇસમોએ ગાળો આપી લાકડી વડે મુંઢ ઈજા કરી હતી ભાડલા પોલીસ બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.