જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કીર્તિ મંદિર પોરબંદર ખાતે ગાંધી બાપુને ભાવાંજલિ અર્પણ કરી - At This Time

જસદણના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કીર્તિ મંદિર પોરબંદર ખાતે ગાંધી બાપુને ભાવાંજલિ અર્પણ કરી


(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ)
જેની પોતડીમાં પારકા પૈસા રાખવાનું ખિસ્સું નહોતું એવાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી નિમિત્તે ઠેર ઠેર ઊજવણી કરવામાં આવી હતી. ત્યારે પોરબંદર કીર્તિ મંદિર ખાતે રાજયનાં મુખ્યમંત્રી અને જસદણના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા ખાસ ઊપસ્થિત રહી ગાંધી બાપુને ભાવાંજલિ અર્પણ કરી હતી. દરમિયાન જસદણ જીઆઈડીસી એસોસિએશન અને યુવા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ જણાવ્યું હતું કે સંપૂર્ણ પારદર્શક જીવન જીવી જનારા ગાંધી બાપુને કારણે દેશ એક ખરાં અર્થમાં વિશ્વભરમાં જાણીતો થયો છે. આવા મહામાનવને ભાવાંજલિ અર્પણ કરું છું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.