કેશોદમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો - At This Time

કેશોદમાં નેત્ર નિદાન કેમ્પ યોજાયો


કેશોદ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

  

કેશોદનાં આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું  જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટનાં સહયોગથી નેત્ર નિદાન કેમ્પ યોજાયો હતો 

     જલારામ મંદિરનાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબારનાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષથી યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં  અત્યાર સુધીમાં  316 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યાછે જેમાં લગભગ 22524 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલછે જેથી લોકોને લાખો રૂપિયાની રાહત થયેલછે 

 જલારામ મંદિરે પહેલા અને ત્રીજા રવિવારે વર્ષોથી રણછોડદાસજી આશ્રમ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર નિદાન કેમ્પ રાખવામાં આવેછે 

       કેમ્પની  શરૂઆત  કેમ્પના પ્રસાદ ભોજન દાતા જગમાલભાઈ નંદાણીયા , માલદેભાઈ નંદાણીયા  જલારામ મંદિરનાં ટ્રસ્ટી  દિનેશ કાનાબાર  ડો સ્નેહલ તન્ના મહાવીર સિંહ જાડેજા ડો પરિતોષ પટેલ. ડો ભૂમિ સહીત ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં  આવેલ 

     નેત્ર નિદાન કેમ્પમાં 154  જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 52   દર્દીઓને બસ દ્વારા  ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતા

 તેમજ ડૉ ભૂમિ વણપરિયાએ સાંધાના દુઃખાવા સાયટિકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી.  

  અશ્વિન ભાઈ પટેલ  દક્ષાબેન મહેતા મામલતદાર ત્રિવેદી સાહેબ દ્વારા દર્દીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું કેશોદ જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવેછે તેમજ દરરોજ સાંજનું અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવેછે જેમાં 70 થી 80 જરૂરીયાતમંદ લોકો  સાધુસંતો નીરાધારોને ભોજન આપવામાં આવેછે માધાભાઈ બોરિયા સુરેશભાઈ દ્વારા દર્દીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


9723444990
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.