વિસાવદર કોર્ટ માં યોજાયેલ નેશનલ લોક અદાલત માં 341કેસોનો ન્યાયિક નિકાલ - At This Time

વિસાવદર કોર્ટ માં યોજાયેલ નેશનલ લોક અદાલત માં 341કેસોનો ન્યાયિક નિકાલ


વિસાવદર કોર્ટમાં યોજાઈ નેશનલ લોક અદાલત: એકજ દિવસમાં કરાયો ત્રણ કરોડ પાંત્રીસ લાખ અઠ્ઠાણુ હજાર અઠ્ઠાવન અને ત્યાસી પૈસાના ઐતિહાસિક ૩૪૧ કેસોનો ન્યાયિક નિકાલવિસાવદર તા. વિસાવદરમાં આજરોજ તા.૨૨/૦૬/૨૪ના રોજ નાલ્સાની ગાઈડ લાઇન મુજબ વિસાવદર કોર્ટ બિલ્ડીંગ ખાતે કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને તાલુકા કાનુની સેવા સમિતિના ચેરમેનશ્રી એસ.એસ.ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં લીટીગેશન અને
પ્રિલિટીગેશન સહિતના કુલ રૂપિયા ત્રણ કરોડ પાંત્રીસ લાખ અઠ્ઠાણું હજાર અઠ્ઠાવન અને ત્યાસી પૈસા પુરાના ૩૪૧ કેસોમાં પક્ષકારો હાજર રહેલા હતા અને ૩૪૧ કેસોનો સુખદ નિકાલ થતાં લોક અદાલતનું ૧૦૦% પરિણામ પ્રાપ્ત થયુ હતું. જેમાં સ્પેશિયલ સિટિંગમાં કુલ- ૯૪ કેસમાં રૂપિયા ૧,૧૮,૦૦૦/-નો દંડ વસુલ લેવામાં આવેલ હતો. જેમાં ચાલુ ૨૩૦ કેસોનો નિકાલ કરવામાં આવેલ તથા ૬૮પ્રિલિટીગેશન કેસો મળી કુલ ૨૯૮ કેસોનો તથા ફેમિલી કોર્ટ તથા એડિશનલ ડિસ્ટ્રીકટ કોર્ટના મળી કુલ ૩૪૧ કેસોનો ઐતિહાસિક ન્યાયિક નિકાલ કરતા વિસાવદર કોર્ટમાં લોક અદાલતનું ઐતિહાસિક રેકોર્ડબ્રેક પરિણામ આવ્યું હતુંઆ લોક અદાલતમાં વિસાવદર બાર એસોસિએશનના પ્રમુખશ્રી રમેશભાઈ ધાધલ,સીરાજભાઈ માડકીયા, વિજયભાઈ જેઠવા,સિનિયર ધારાશાસ્ત્રી દિનેશભાઇ શાહ, નયનભાઇ જોશી, અશ્વિનભાઈ દુધરેજીયા,સમીરભાઈ પટેલ, કમલેશભાઈ જોશી, યુ.બી. દાહીમાં, એચ.કે.સાવલિયા તથા સ્ટેટ બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા તથા પી.જી.વી.સી.એલની જુદી જુદી કચેરીઓના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહેલા અને પક્ષકારોને સમજાવટ કરી લોક અદાલતને સફળ બનાવવા માટે મહત્વનો ફાળો આપેલ હતો. વિસાવદર કોર્ટના સુપ્રિટેન્ડન્ટ અને તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી ચંદુભાઈ ભટ્ટી,પી.પી.પાણેરી, અનુપભાઈ વાઘેલા, સુધીરભાઈ ચાવડા, તથા તમામ કોર્ટ સ્ટાફે લોક અદાલતને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવેલ હતી. આ પ્રસંગે સવારના ૧૦-૩૦ કલાકે દીપ પ્રાગટય કરી લોક અદાલતને ખુલ્લી મુકવામાં આવેલ હતી ત્યારથી પક્ષકારોની મોટા પ્રમાણમાં હાજરી અને ઉત્સાહ ઉડીને આંખે વળગે તેવી હતી. મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબે આ પ્રસંગે લોક અદાલતનું અને સમાધાનનું સમાજમાં મહત્વ સમજાવતું ઉદ્દબોધન કરેલ હતું. વિસાવદર કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી લોક અદાલતને સફળ બનાવવા માટે તમામ ન્યાયાધીશ સાહેબો તથા કોર્ટ સ્ટાફ અને વકીલશ્રીઓ દ્વારા સતત પ્રયાસો કરી લોક અદાલતને સફળ બનાવી હતી.

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.