ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને એક સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યો - At This Time

ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને એક સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યો


ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટે ઈમરજન્સી બ્રેક લગાવીને એક સિંહને ટ્રેનની અડફેટે આવતા બચાવ્યો
ભાવનગર રેલ્વે મંડળ સિંહો/વન્યજીવોના સંરક્ષણ માટે સતત પ્રયાસો કરી રહ્યું છે. મંડળના નિર્દેશો મુજબ, ટ્રેનોનું સંચાલન કરતા લોકો પાઇલોટ નિર્ધારિત ગતિનું પાલન કરી રહ્યા છે અને વિશેષ સાવધાની સાથે કામ કરી રહ્યા છે. ભાવનગર રેલ્વે મંડળના લોકો પાયલોટની તકેદારી અને વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકર્સની મદદથી ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 70 સિંહોના જીવ બચાવાયા છે.ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમારે જણાવ્યું હતું કે 03 ઓક્ટોબર, 2024 (ગુરુવાર) ના રોજ લગભગ 18.00 કલાકે, લોકો પાયલટ શ્રી બલીરામ કુમાર અને સહાયક લોકો પાયલટ શ્રી ચિંતન કુમાર કિ.મી. સં. 09/02 - 09/04 વચ્ચે જૂનાગઢ-બિલખા સેક્શન ની વચ્ચે જ્યારે 01 સિંહને રેલવે ટ્રેક ક્રોસ કરતા જોવામાં આવ્યો, ત્યારે પેસેન્જર ટ્રેન નંબર 09540 જૂનાગઢ-અમરેલીને ઈમરજન્સી બ્રેક લગાવીને રોકવામાં આવી હતી. લોકો પાયલટ દ્વારા ટ્રેન મેનેજર (ગાર્ડ)ને જાણ કરવામાં આવી હતી. થોડા સમય બાદ ફોરેસ્ટ ગાર્ડ આવ્યા અને સિંહને ટ્રેક પરથી ખસેડાયા બાદ લોકો પાયલટ દ્વારા ટ્રેનને ગંતવ્ય સ્થાન તરફ લઈ જવામાં આવી હતી.માહિતી મળતાં એડિશનલ ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી હિમાઁશુ શર્મા અને અન્ય અધિકારીઓ દ્વારા લોકો પાઇલોટ્સના પ્રશંસનીય કાર્યની પ્રશંસા કરવામાં આવી હતી.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.