પોરબંદરમાં ગાંધી પ્રતિમાની રક્ષા સુરક્ષા અને જતન જાળવણી કરશે હવેથી પોલીસ! - At This Time

પોરબંદરમાં ગાંધી પ્રતિમાની રક્ષા સુરક્ષા અને જતન જાળવણી કરશે હવેથી પોલીસ!


પોરબંદરએ ગાંધીજીની જન્મભુમિ છે અને શહેરમાં અનેક જગ્યાએ ગાંધીજીની પ્રતિમાઓ આવેલી છે,પરંતુ આ પ્રતિમાઓની જાળવણીમાં નગરપાલિકાનું તંત્ર ઉણુ ઉતરી રહ્યું છે, તેના કારણે રાષ્ટ્રપિતાની ગરિમા જળવાતી નથી.આવી જ પરિસ્થિતિ કમલાબાગ પોલીસ મથક આગળ આવેલા ગાંધી પ્રતિમા સ્થળની છે કે એ જગ્યા વારંવાર ઉકરડામાં પરિવર્તિત થઈ જાય છે તો ગાંધીજીની પ્રતિમા ગોળીઓથી છલ્લી થઈ ગઈ હોય તેવી જર્જરીત બની ગઈ છે.તેથી હવે પોરબંદર નગરપાલિકાએ જનરલ બોર્ડની સ્પેશિયલ બેઠકમાં એવો ઠરાવ મંજુર કરવાનું નક્કી કર્યું છે કે વિશ્વવિભૂતિ મહાત્મા ગાંધીજીની પ્રતિમા અને ગાર્ડનની વ્યવસ્થિત જાળવણી થાય તે માટે તેનું સંચાલન તેની બાજુમાં જ આવેલ કમલાબાગ પોલીસ મથકને સોંપી દેવામાં આવે તે જરૂરી છે આથી તે અંગે નિર્ણય લેવામાં આવનાર છે.


8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.