રામાપીર ચોકડીએ બાબા બાગેશ્વરના બેનરો ફાટયા - At This Time

રામાપીર ચોકડીએ બાબા બાગેશ્વરના બેનરો ફાટયા


રાજકોટમાં આગામી 1-2 જુનના રોજ બાબા બાગેશ્ર્વરનો લોકદરબાર છે અને તેની તૈયારી જોરશોરપૂર્વક કરવામાં આવી રહી છે તે પુર્વે રામાપીર ચોકડી, મહિલા કોલેજ જેવા અમુક વિસ્તારોમાં પોસ્ટર-બેનરો ચિંથરેહાલ થતા તીવ્ર પ્રત્યાઘાતો પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ અંગે આયોજક યોગીન છનીયારાએ કહ્યું કે પોસ્ટર ફાડયા હોય તેવું કોઈ ધ્યાનમાં નથી. મહિલા કોલેજ ચોકનું બેનર તો પવનમાં ફાટી ગયુ હોવાનું ધ્યાનમાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે બાબા બાગેશ્ર્વરનો દિવ્ય દરબારનો કાર્યક્રમ જાહેર થતાની સાથે જ વિવાદ થયો હતો. વિજ્ઞાનજાથા જેવા સંગઠનોએ વિરોધ કરવાનું જાહેર કર્યુ જ હતું.
ભાજપ નેતાઓ કાર્યક્રમના સમર્થનમાં છે. શહેરભરમાં ઠેર-ઠેર કાર્યક્રમનો પોસ્ટર લગાવવામાં આવ્યા છે તેવા સમયે રામાપીર ચોકડીએ ફાટેલા પોસ્ટર કોઈ વિરોધીઓએ ફાડયા હોવાની છાપ છે. આ ઘટનાક્રમના કોઈ પ્રત્યાઘાત પડે છે કે કેમ તેના પર મીટ છે
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.