સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તરાખંડનાં, ઉત્તરપ્રદેશ અને હિમાચલના પ્રવાસે સમસ્ત મહાજનની ટીમ આચાર્ય બાલકૃષ્ણ મહારાજ(પતંજલિ યોગ વિદ્યાપીઠ)ને મળી - At This Time

સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તરાખંડનાં, ઉત્તરપ્રદેશ અને હિમાચલના પ્રવાસે સમસ્ત મહાજનની ટીમ આચાર્ય બાલકૃષ્ણ મહારાજ(પતંજલિ યોગ વિદ્યાપીઠ)ને મળી


સમસ્ત મહાજનની ટીમ જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તરાખંડનાં, ઉત્તરપ્રદેશ અને હિમાચલના પ્રવાસે

સમસ્ત મહાજનની ટીમ આચાર્ય બાલકૃષ્ણ મહારાજ(પતંજલિ યોગ વિદ્યાપીઠ)ને મળી

ભારત સરકારનાં એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યો સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ડો.ગીરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીના માર્ગદર્શન હેઠળ સમસ્ત મહાજનની ટીમ દ્વારા જીવદયા, ગૌ રક્ષાનાં કાર્યો માટે ઉત્તર પ્રદેશ, હિમાચલ અને ઉત્તરાખંડનો પ્રવાસ કરવામાં આવી રહ્યો છે. પ્રવાસ દરમિયાન વિવિધ રાજ્યોના નેતાઓ, મંત્રીઓ, સત્તાધારીઓને, જીવદયા પ્રેમીઓ, ગૌ સેવકોને, સંતોને મળીને જીવદયા, ગૌસેવા અંગેના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી રહી છે. આચાર્ય બાલકૃષ્ણજી સાથે પંચગવ્ય ઉત્પાદનની આવશ્યકતા, ગાય સંવર્ધન, ગાય સંરક્ષણ, પશુ પાલકોને મળતી સબસિડી વગેરે વિષયો પર ચર્ચા થઈ. આચાર્યજીનું માર્ગદર્શન મળ્યું તેમણે સૌ ને આશીર્વાદ પાઠવ્યા અને આ સાથે તેમણે પતંજલિ યોગપીઠ વતી તમામ વિષયોના સંદર્ભમાં સરકારને પણ રજૂઆત કરવાની ખાતરી આપી.
સમસ્ત મહાજનની ટીમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગાય સેવા, જીવદયા, જીવરક્ષા, અભયદાન અને શાકાહારના પ્રચારને પ્રોત્સાહન આપવા માટે હંમેશા મદદરૂપ બનવાનો પ્રયત્ન કરશે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.