સિહોર અમદાવાદ રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજનું કામ શરૂ થશે: ડાયવર્ઝન રૂટનું જાહેરનામું આજે બહાર પડ્યું - At This Time

સિહોર અમદાવાદ રોડ રેલવે ફાટક પાસે ઓવરબ્રિજનું કામ શરૂ થશે: ડાયવર્ઝન રૂટનું જાહેરનામું આજે બહાર પડ્યું


શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/B પર ઓવરબ્રીજના કામે શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ -આવતા-જતા વાહનોનો રસ્તો બંધ કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે ડાયવર્ઝન રૂટ આપવા અગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવા Manager (P), PIU & Zonal Office, Bhavnagar GUDC ના તા.૩/૪/૨૦૨૪ ના પત્રથી દરખાસ્ત રજુ થયેલ છે. જે અનુસાર જાહેરનામું પ્રસિધ્ધ કરવા અંગે પોલીસ અધિક્ષકશ્રી,ભાવનગર દ્વારા હકારાત્મક અભિપ્રાય અહેવાલ રજુ થયેલ છે.જે દરખાસ્તની વિગતે જાહેરનામું બહાર પાડવું ઉચિત જણાય છે.
સબબ, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧)(બી) હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ હું એન.ડી.ગોવાણી, (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો,ભાવનગર આથી શિહોર ખાતે આવેલ શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા.૦૬/૦૬/૨૦૨૪ થી તા.૦૫/૦૭/૨૦૨૪ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નીચે મુજબના ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવા ફરમાવુ છું.
*માત્ર ટુ-વ્હીલ તથા ફોરવ્હીલ વાહનોની અવરજવર માટે*:-
(૧) શિહોરથી વાયા શિહોર GIDC થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
(૨) વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી વાયા નેસડા ગામ થઇ શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
મોટા વાહનોની અવર-જવર માટે*:-
(૧) શિહોરથી વાયા શિહોર GIDC થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી રાજપરા(ખોડીયાર) થી નવાગામ(ચીલોડા) થી રંગોલી ચોકડી થઇ ભાવનગર-વલ્લભીપુર હાઇવે રોડ ઉપર કરદેજથી ઉંડવીથી નેસડાથી ઘાંઘળી તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
(૨) વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહને...વ્યવહાર માટે વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી નેસડાથી ઉંડવીથી કરદેજથી રંગોલી ચોકડી થઇ ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર નવાગામ(ચીલોડા) થી રાજપરા (ખોડીયાર) થી શિહોર શહેર દાદાની વાવ તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ મુજબ શિક્ષા થશે.
"જાહેરનામાનો અમલ અને તેના ભંગ બદલના પગલા લેવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા ફરજ પરના અધિકારીશ્રીને અધિકાર રહેશે." રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.