રજપૂતપરામાં હોટેલ સંચાલક પર છરી વડે હુમલો: વાહનમાં તોડફોડ - At This Time

રજપૂતપરામાં હોટેલ સંચાલક પર છરી વડે હુમલો: વાહનમાં તોડફોડ


નાનામવા રોડ પર રાધાનગરમાં રાધાનગરમાં રહેતા કાળુભાઇ વિરજીભાઇ પાનસુરિયાએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે દિનેશ મુછડિયા અને રમેશ બોરીચાના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું રજપૂતપરામાં મારી હોટેલેથી ભૂપેન્દ્ર રોડ પર સ્વામિનારાયણ મંદિરે જવાનું હોય પાર્ક કરેલ કારમાં બેસતા પાછળથી ધસી આવેલા દિનેશએ પાઇપના ઘા ઝીંકી કારના કાચ ફોડી નાખ્યા હતા અને બહાર નીકળવાનું કહ્યું હતું. ત્યાર બાદ રમેશે છરી વડે હુમલો કરતા લોકો એકઠા થઇ જતા બન્ને નાસી જતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.