રાજકોટ ગેમઝોન થી ચર્ચા માં આવેલ ધનકુબેર સા”ગઠીયા” નાં સમર્થક ગઠીયા ઓ કોણ ? જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ વાત વાત માં વિરોધ કેટલો વ્યાજબી ? - At This Time

રાજકોટ ગેમઝોન થી ચર્ચા માં આવેલ ધનકુબેર સા”ગઠીયા” નાં સમર્થક ગઠીયા ઓ કોણ ? જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ વાત વાત માં વિરોધ કેટલો વ્યાજબી ?


રાજકોટ ગેમઝોન થી ચર્ચા માં આવેલ ધનકુબેર સા"ગઠીયા નાં સમર્થક ગઠીયા ઓ કોણ ?
જાહેર જીવન ની પડતી નૈતિક મૂલ્યો નું ધોવાણ વાત વાત માં વિરોધ કેટલો વ્યાજબી ?
ખોટું થયું હોય અને સજજનો નું મોન રહેવું એથી જ દુર્જનો ફાવી જતા હોય છે
ચૂંટણી સમયે જ હિન્દુ ખતરા માં આવી જતા હશે કે ખુરશી ? દેશ બધા રાજકીય પક્ષો પાર્ટી ઓ રાષ્ટ્ર વિરોધી હશે ? માત્ર સતાધારી પાર્ટી જ રાષ્ટ્રપ્રેમી હશે ?
દેશ માં કેટકેટલીય સમસ્યા ઓ છે તેના ઉકેલ માટે કરવા ની ચર્ચા ઓ ને બદલે વાહિયાત મુદ્દા ઓમાં રચ્યાપચ્યા શાસકો લાયક છે ? કે નાં લાયક તે જાતે જ નક્કી કરો હિન્દુ સમાજ ના અપમાન ને ગામડા થી લઈ મહાનગરો સુધી રાહુલગાંધી નો વિરોધ કરતા અંધ ભક્તો હથરસ નાં હિન્દુ ઓનાં મોત મામલે કેમ મોન હશે ? દેશ ની સાંસદ માં હિન્દૂ વિરુદ્ધ ના નિવેદન થી હોહા કરી ઠેર ઠેર પૂતળા દહન અને પોલીસ ફરિયાદ આપવા ના કાર્યક્રમ આપી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એ હાથરસ ની ધટના માં હિન્દુ ઓનાં મોત મામલે કેમ મોન છે ? રાજકોટ ગેમજોન દુર્ઘટના માં ૨૭ નિર્દોષ નાગરિકો મોત વિશે કેમ મોન રહ્યા ? આ અંગે કેમ કોઈપણ અંધભક્ત આગળ આવી વિરોધ નથી કર્યો મોદી પરિવાર ની સરકાર છે એટલે ? હાથરસ ની ઘટના વિશે કેમ પ્રશાસન ની બેદરકારી નહિ દેખાતી હોય ? કેમ મોદી પરિવાર ની સરકાર છે એટલે ? સતા માટે આટલી બધી સંકુચિતાં કેમ ? ભારતીય જનતા પાર્ટી એ લોકસભા ની ચૂંટણી ના લાભ માટે રામ મંદિર નું અધૂરું કામ હોવા છતાં પ્રતિષ્ઠા કરાયેલ જેમાં દેશ નાં ચાર મઠ નાં શંકરાચાર્યો પ્રતિષ્ઠા મહોત્સવ થી અલિપ્ત રહ્યા તે અયોધ્યા હાલ રામભરોસે છે કરોડો નો ભ્રષ્ટાચાર પ્રસાદ સમજી વહેંચી લેતા અંધભક્તો માત્ર સામાન્ય વરસાદ માં પણ ઉપી નાં અયોધ્યા સહિત નાં ઉપનગરો નાં રસ્તા ઓ ધોવાઈ ગયા તે માટે જવાબદાર કોણ ? ગુજરાત માં જે કંપની સામે ભારે ભ્રષ્ટ હોવા ના આરોપ છે તેજ કંપની એ અયોધ્યા ના વિકાસ કામો અપાયા હતા કેમ ? બિહાર માં ૧૫ દિવસ માં આઠ પુલ ધરાશય સિમેન્ટ નબળી હશે કે નિયતિ ? હાથરસ કાંડ માં માર્યા ગયેલા ભક્તો નાં મોત માં બાબા નો કોઈ હાથ નથી એતો કાર્યક્રમ સ્થળ છોડી ને જતા રહ્યા હતા આવો વાહિયાત બચાવ ? જે પ્લેટ ફોર્મ ઉપર આટલી ભીડ એકઠી થાય તેની કોઈ જવાબદારી નહિ ? બાબા તો વહેલા જતા રહ્યા હતા આટલી બધી બેશરમી ક્યાં સુધી ? યુપી સરકાર ની કોઈ જવાબદારી ખરી કે નહિ ? મોરબી પુલ દુર્ધટના બોટાદ નાં રોજીદ દેશીદારૂ થી સર્જાયેલ લઠ્ઠાકાંડ માં ગુજરાત સરકારે કોઈ જવાબદારી સ્વીકારી ખરી ? રાજકોટ ગેમજોન માં એ સી બી ના ઇતિહાસ માં સૌથી મોટી રકમ ૨૮ કરોડ ભેગા કરવામાં સા."ગઠિયા" ના નવસર્જન માં કોણ કોણ સામેલ હશે ? ટી પી યો સાગઠીયા ની નિમણુક જ ખોટા ગ્રાઉન્ડ ઉપર થઇ હોય તો જવાબદાર લોકલ બોર્ડ નહિ ? જાતે નિમણુક મેળવી હશે ? તેની લાયકાત શું ? નાણાં વિભાગ માંથી મહેકમ મંજૂર ઠરાવ દરખાસ્ત કેવી રીતે મંજૂર કરાય ? હરણી બોટ દુર્ઘટના નો સરકાર નો તપાસ રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટે ફગાવ્યો ફેર તપાસ કરવા આદેશ દળીદળી ઢાંકણી માં આ છે મૃદુ મક્કમ અને ભરોસા ની સરકાર ? પ્રતિસ્પર્ધી ઓને પાડી દેવા ની મેલી મુરાદ ઝારખંડ ના સી એમ પદે ફરી હેમંત સોરેન બિરાજશે અમદાવાદ ભાજપ કાર્યકરો નો કોંગ્રેસ કાર્યાલય ઉપર તોડફોડ કેસ માં ફરિયાદી ઓને જ આરોપી બનાવી દેવાયા દુષપ્રેરણા સ્થળ તો કોંગ્રેસ કાર્યાલય હતું ને ? તો પણ આવું કેમ ? છેલ્લા ઘણા સમય થી દારૂ વેચાણ ઉપર પોલીસે કરવાનું કામ નેતા ઓ દ્વારા કરાય રહ્યું છે વારંવાર જનતા રેડ થઈ રહી છે શું પોલીસ ઉપર થી લોકો ને ભરોસો ઉઠી ગયો છે ? રાજ્ય માં કાયદો વ્યવસ્થા ની સમીક્ષા કરવી જરૂરી નથી ? ગુજરાત પોલીસે પોતા ની છબી સાફ કરવી જોઈ એ અને પ્રજા નો પુનઃ વિશ્વાસ સંપાદિત ન કરવો જોઈ ? લોકસભા ની કોઈપણ ચૂંટણી સમયે જ હિન્દુ ખતરા માં કેમ આવી જતો હશે ? જૂનાગઢ માં વર્ષો થી બાદશાહ નું શાસન હતું છતાં નાગા બાવા તપ અનુષ્ઠાન કરતા આવ્યા છે કોઈ ધર્મ પરિવર્તન કે ખતરો ઉભો ન થયો માત્ર ચૂંટણી સમયે જ હિન્દુ ધર્મ અને હિન્દૂ ખતરા માં કોણ લાવે છે ? દેશ નાં દરેક રાજકીય પક્ષો પાર્ટી ઓ દેશ વિરોધી છે માત્ર સતાધારી પક્ષ જ રાષ્ટ્ર પ્રેમી હશે ? બાકી બધા રાષ્ટ્ર વિરોધી હશે ? ગુજરાત સરકાર માં ૩૦ વર્ષ થઈ ભાજપ ની સરકાર છે ગાંધીનગર અપ્રમાણ સર ની મિલકત નાં કેસ માં પૂર્વ જિલ્લા કલેકટર એસ કે લાંગા ની ધડપકડ સુરત અમરેલી ભાવનગર વલસાડ માં જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી ચૂકેલ આયુષ ઓકે સુરત ની ૨૦૦૦ કરોડ ની સરકારી જમીન ખાનગી વ્યક્તિ ઓનાં નામે ચડાવી દેતાં વલસાડ જિલ્લા કલેકટર પદે થી સસ્પેન્ડ કરાયા હતા આ બધું સરકાર ની જવાબદારી નથી ? બનાવટી પાણી પુરવઠા ની સરકારી કચેરી બનાવી ગ્રાન્ટ પણ મેળવી લેવાય તોય ભરોસાની મૃદુ અને મક્કમ સરકાર કેમ હશે ?

નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.