જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદી ઠાર:LoC પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા; મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત - At This Time

જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં 2 આતંકવાદી ઠાર:LoC પર ઘુસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા; મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત


જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લાના ગુગલધરમાં લાઈન ઓફ કન્ટ્રોલ (LoC) પર સુરક્ષા દળોએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. સેના અને પોલીસે બે આતંકીઓને ઠાર કર્યા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સે કહ્યું કે શુક્રવાર, 4 ઓક્ટોબરે સેના અને પોલીસે એક શંકાસ્પદ હલચલ જોઈ. આ પછી સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આતંકીઓએ ફાયરિંગ કર્યુ હતું. સુરક્ષા દળોની જવાબી કાર્યવાહીમાં બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. હાલ ઓપરેશન ચાલુ છે. 7 દિવસ પહેલા કઠુઆમાં એક એન્કાઉન્ટરમાં હેડ કોન્સ્ટેબલનું મોત થયું હતું આ પહેલા 28 સપ્ટેમ્બરે કઠુઆ જિલ્લાના બિલવર તહસીલના કોગ-મંડલીમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં જમ્મુ-કાશ્મીર પોલીસના હેડ કોન્સ્ટેબલ બશીર અહેમદનું મોત થયું હતું. એન્કાઉન્ટરના બીજા દિવસે એક આતંકવાદી માર્યો ગયો હતો. કુલગામમાં 2 આતંકી ઠાર, 5 સુરક્ષાકર્મી ઘાયલ
28 સપ્ટેમ્બર શનિવારના રોજ કુલગામના અડીગામ દેવસર વિસ્તારમાં પણ એન્કાઉન્ટર થયું હતું. જેમાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. ફાયરિંગમાં સેનાના ચાર જવાન અને કુલગામ ASP ઘાયલ થયા છે. દક્ષિણ કાશ્મીરના ડીઆઈજી જાવિદ ઈકબાલ મટ્ટુએ ભાસ્કરને જણાવ્યું કે અડીગામ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ થઈ ગઈ છે. આ આતંકીઓમાંથી એક આકિબ અહેમદ શેરગોજરી બડગામના ચદૂરાનો રહેવાસી છે. બીજો આતંકી ઉમૈસ વાની છે, જે કુલગામના ચાવલગામનો રહેવાસી છે. બંને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબા માટે કામ કરતા હતા. 27 સપ્ટેમ્બરે પુલવામામાં જૈશ-એ-મોહમ્મદના છ સાથીઓની ધરપકડ કરી હતી
શુક્રવારે, 27 સપ્ટેમ્બરના રોજ, પોલીસે પુલવામાના અવંતીપોરામાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે જૈશ-એ-મોહમ્મદના 6 આતંકવાદીઓની ધરપકડ કરી છે તેઓ યુવાનોને આતંકવાદની તાલીમ આપતા હતા. તેમની પાસેથી 5 IED, 30 ડિટોનેટર, IEDની 17 બેટરી, 2 પિસ્તોલ, 3 મેગેઝીન, 25 રાઉન્ડ, 4 હેન્ડ ગ્રેનેડ અને 20,000 રૂપિયા રોકડા મળી આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે જૈશ-એ-મોહમ્મદના પાકિસ્તાન સ્થિત કાશ્મીરી આતંકવાદીઓ એવા યુવાનોને શોધી રહ્યા છે જેમનું બ્રેઈનવોશ કરી શકે. તપાસમાં સામે આવ્યું છે કે આતંકવાદીએ જેલમાં ઓવર ગ્રાઉન્ડ વર્કરની મદદથી અવંતીપોરાના ત્રાલ વિસ્તારમાં આતંકવાદમાં જોડાવા માટે પ્રેરિત કેટલાય યુવાનોની ઓળખ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના આતંકી હેન્ડલરોએ આ યુવાનોની મદદથી IED પ્લાન્ટ કરવા માટે કેટલીક જગ્યાઓ પણ પસંદ કરી હતી. હેન્ડલરે તે યુવકોને IED બનાવવા માટે પૈસા પણ આપ્યા હતા, જેથી તેઓ તેના માટે સામગ્રી લાવી શકે. યુવાનોને પિસ્તોલ અને ગ્રેનેડ પણ આપવામાં આવ્યા હતા. યુવાનોને ટાર્ગેટ કિલિંગ, સુરક્ષા દળો પર હુમલો કરવો , જાહેર સ્થળો ગ્રેનેડ હુમલો કરવો, બિન-કાશ્મીરી મજૂરો પર ગ્રેનેડ ફેંકવા અને IED વિસ્ફોટ જેવી આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા સૂચના આપવામાં આવી હતી. 13-14 સપ્ટેમ્બર દરમિયાન 3 જગ્યાએ 5 આતંકવાદીઓ માર્યા ગયા, બે જવાનો શહીદ થયા હતા છતરુમાં બે જવાનો શહીદઃ જમ્મુ-કાશ્મીરના છતરુના નડગામ ગામના પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં 13 સપ્ટેમ્બરે સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. જેમાં બે જવાનો ઘાયલ થયા હતા. કઠુઆમાં બે આતંકવાદીઓ માર્યા ગયાઃ 13 સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના કઠુઆના ખંડારામાં સેનાએ ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં રાઇઝિંગ સ્ટાર કોર્પ્સના જવાનોએ બે આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે. બારામુલ્લામાં 3 આતંકવાદીઓ માર્યા ગયા: જમ્મુ-કાશ્મીરના બારામુલ્લાના ક્રેરીના ચક તાપર વિસ્તારમાં 13 સપ્ટેમ્બરની રાત્રે એન્કાઉન્ટર શરૂ થયું હતું. બીજા દિવસે 14 સપ્ટેમ્બરે સુરક્ષા દળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા. એન્કાઉન્ટરના આ સમાચાર પણ વાંચો... છત્તીસગઢમાં સુરક્ષા દળોએ 31 નક્સલીઓને ઠાર કર્યા, AK-47 સહિત અનેક ઓટોમેટિક હથિયારો મળ્યા 4 ઓક્ટોબરે છત્તીસગઢના દંતેવાડા-નારાયણપુર જિલ્લાની સરહદ પર સુરક્ષા દળોએ 31 નક્સલવાદીઓને ઠાર કર્યા હતા. આ આંકડો વધવાની શક્યતા છે. હાલમાં 31 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હોવાની પુષ્ટિ થઈ છે. જવાનોએ નક્સલવાદીઓના મૃતદેહો સાથે AK-47, SLR જેવા હથિયારો જપ્ત કર્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.