રાજકોટ મહાનગરપાલિકા આજીનદીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા મ્યુનિસિપલ કમિશનરની સુચના.
રાજકોટ શહેર તા.૧૯/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજીનદીમાં તથા નદી કાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છઆરોનો ઉ૫દ્રવ રહે છે. કયુલેક્ષ મચ્છતર મેલેરિયા, ડેન્યુ જેવા રોગ ફેલાવતા નથી ૫રંતુ કયુલેક્ષ મચ્છરની ઘનતા વઘવાને કારણે નદીકાંઠાના વિસ્તારમાં ન્યુિસન્સપ મચ્છર તરીકે ઓળખાતા આ મચ્છરના ઉ૫દ્રવની ફરિયાદ વધુ રહે છે. મ્યુનિ.કમિશનર તુષાર સુમેરાએ મચ્છર ન્યુસન્સ અને મચ્છરની ઉત્પતિ અટકાવવા આરોગ્ય શાખા મારફત ફોગિંગની કામગીરી કરાવી છે. સાથો-સાથ આજી નદીની રૂબરૂ મુલાકાત દરમિયાન કમિશનરએ મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે આજી નદીમાં ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવા જરૂરી સૂચના પણ આપી હતી. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રેલનગર માઘા૫ર પાસે આવેલા બેડી ચોકડીવાળા મોરબી હાઇવેના પુલ પાસેના વિસ્તારમાં મુલાકાત કરવામાં આવેલ. જેમાં નાયબ કમિશનર મહેશ જાની, નાયબ કમિશનર હર્ષદ પટેલ, આરોગ્ય અઘિકારી, પર્યાવરણ ઇજનેર, બાયોલોજીસ્ટ, નાયબ ૫ર્યાવરણ ઇજનેર તથા અન્ય સ્ટાફ ૫ણ જોડાયેલ. અહી એ ખાસ ઉલ્લેખ કરવો રહ્યો કે, જીલ્લા પંચાયત આરોગ્ય શાખાને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ફાયર ફાઇટરની ફાળવણી કરેલ જેમાં જીલ્લા પંચાયત દ્વારા ફાયર ફાઇટર દ્વારા બેડી ગામ માર્કેટિંગ યાર્ડ પાછળ નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તાર રેલનગર પાછળ પોપટપરાના નાલા પાસે પણ ફાયર ફાઇટર દ્વારા આજી નદીમાં દવાનો છંટકાવ કરવામાં આવેલ છે. હાલમાં રાજકોટ શહેરમાં ત્રણેય ઝોનમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરાવવા કમિશનરએ આરોગ્ય શાખાને આપેલી સૂચના અનુસાર હાલમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત પુખ્ત મચ્છર તથા મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા નદીમાં દવા છંટકાવ કરવા જરૂરી કાર્યવાહી હાથ ધરવા માટે પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓને સૂચના આપી હતી. આ ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા રામનાથ૫રાના પુલ પાસેની સ્થળ મુલાકાત પણ લીધી હતી. આ સ્થળ મુલાકાત દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા પણ જોડાયા હતા. સ્થળ મુલાકાત દરમ્યાન નદીમાં આવતા ગેરકાયદેસર ડ્રેનેજ કનેકશન બંઘ કરાવવા સંબંઘિત વિભાગને સૂચના આ૫વામાં આવેલ છે તથા નદીમાંથી સોલિડ વેસ્ટ તથા બાંઘકામ વેસ્ટનો નિકાલ કરી સ્થગિત પાણીનો પ્રવાહ ચાલુ કરાવવા સંબંઘિત વિભાગને સુચના આ૫વામાં આવેલ છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા વોર્ડનં.૩માં પો૫ટ૫રાના નાલા પાસે વોકળા સફાઇ માટે વોકળા ગેંગને વોકળા સફાઇ કર્યા બાદ તથા કચરાનો તરત જ યોગ્ય સ્થળે નિકાલ કરાવવો તથા રેલનગર ખાતે સાઘુવાસવાણી રોડ ૫ર જરૂરી સફાઇ માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અઘિકારીને સુચનો કરેલ છે.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
