પીએનબીએ પૈસા પરત નહિ કરતાં અરજદારે અર્ધનગ્ન થઇને વિરોધ નોંધાવ્યો - At This Time

પીએનબીએ પૈસા પરત નહિ કરતાં અરજદારે અર્ધનગ્ન થઇને વિરોધ નોંધાવ્યો


રાજકોટમાં રહેતા કિશોરભાઈ જાદવ નામના વ્યક્તિને પીએનબીએ પૈસા પરત નહિ કરતા ગુરુવારે અર્ધનગ્ન થઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. અરજદાર કિશોરભાઈ જાદવે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, તેને આકાશવાણી ચોકમાં સ્થિત ફ્લેટ હરાજીમાં ખરીદવા માટે રૂ.25 લાખ બેંકમાં ભર્યા હતા. બુધવારે હરાજી હતી ત્યારે ભાગ લેવા માટે બીજી રકમ ભરી દેવા માટે પણ તૈયારી બતાવી હતી, પરંતુ બેંક અધિકારી તરફથી એવો જવાબ મળ્યો કે હવે તમે હરાજીમાં ભાગ નહિ લઇ શકો અને ફ્લેટ નહિ મળે. આથી, ભરેલી રકમ પરત મેળવવા માટે બેંકમાં અનેક વખત રજૂઆત કરી હતી, પરંતુ બેંક અધિકારી તરફથી યોગ્ય પ્રત્યુત્તર મળતો નહોતો. આથી તેઓ ગુરુવારે બેંકમાં પહોંચ્યા હતા અને અર્ધનગ્ન થઇને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.