કોડીનારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ અન્ન દિવસ ઉજવાયો - At This Time

કોડીનારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા વિશ્વ અન્ન દિવસ ઉજવાયો


કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા વિશ્વ અન્ન દિવસ ઉજવાયો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા આજરોજ તાલાળા તાલુકાના હડમતીયા ગામ ખાતે વિશ્વ અન્ન દિવસની ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમની શરૂવાત કેવિકેના ગૃહ વિજ્ઞાન નિષ્ણાંત શ્રીમતી હંસાબેન પટેલે શાબ્દિક સ્વાગતથી કરી અને વિશ્વ અન્ન દિવસના મહત્વ વિશે વાત કરી અને સૌને ઘર આંગણે શાકભાજીનો બગીચો બનાવવાની માહિતી આપી હતી ત્યારબાદ કેવિકેના પાક સંરક્ષણ નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ દ્વારા ઉપસ્થિત સર્વોને પ્રાકૃતિક ખેતી કરવા અનુરોધ કર્યો હતો અને પાકમાં આવતા રોગ-જીવાતના સંકલિત નિયંત્રણ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં અંદાજીત ૫૦ જેટલા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા.

રિપોર્ટર:-માવજી વાઢેર ઉના દીવ ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.