અગ્નિકાંડ મામલે તત્કાલીન PI વી.એસ. વણજારા-જે.વી.ધોળા સસ્પેન્ડ, અત્યારસુધીમાં 14 નાની માછલી પર કાર્યવાહી - At This Time

અગ્નિકાંડ મામલે તત્કાલીન PI વી.એસ. વણજારા-જે.વી.ધોળા સસ્પેન્ડ, અત્યારસુધીમાં 14 નાની માછલી પર કાર્યવાહી


રાજકોટ TRP ગેમઝોનમાં આગ લાગવા મામલે રાજકોટ શહેરના બે પોલીસ-ઇન્સ્પેક્ટર વી.આર.પટેલ અને એન.આઈ.રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ અગાઉ ફરજ બજાવી ચૂકેલા બે પીઆઇ. જે.વી.ધોળા અને વી.એસ. વણઝારાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આમ, સત્ય શોધક કમિટીની તપાસ બાદ ગુજરાત પોલીસવડા વિકાસ સહાયના આદેશથી આજે વધુ બે રાજકોટના તત્કાલીન પીઆઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સત્ય શોધક કમિટી 4 જુલાઈએ હાઇકોર્ટમાં અગ્નિકાંડનો રિપોર્ટ રજૂ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.